|
સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના પોલીસ સબ.ઇન્સ.શ્રી .ડી.ડી.પરમાર ’’ બી’’ ડીવી.પોલીસ સ્ટેશન હિંમતનગર નાઓ ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં .એસ .આર .બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા. તા.૧૮/૦૪/૨૦૧૬ થી તા .૨૪/૦૪/૧૬ સુધીની વિગત નીચે મુજબ છે.
(૧) હિંમતનગર.બી.ડીવી.પો.સ્ટે. જાણવા જોગ નંબર-૦૦૨૩/૦૧૬ સ્ટે.ડા.એન્ટ્રી નંબર-૧૧/૦૧૬ તા.૧૪/૦૪/૦૧૬ મુજબના કામે જાહેરાત આપનારશ્રી સંજ્યકુમાર રાજુભાઇ વાઘેલા રહે.ઋષિનગર નિરાલી હોસ્પિટલ સામે હિંમતનગર જી.સાબરકાંઠા વાળાઓની પત્નીનામે સુમનબેન વા/ઓ સંજ્યકુમાર રાજુભાઇ વાઘેલા રહે.ઋષિનગર નિરાલી હોસ્પિટલ સામે હિંમતનગર જી.સાબરકાંઠાવાળી ગઇ તા.૧૪/૦૪/૦૧૬ ના રોજ કલાક.૭/૦૦ વાગે પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર દૈનિકક્રિયા કરવાનું કહેતાં ઘરે પરત ન આવતાં અત્રેના હિંમતનગર.બી.ડીવી.પો.સ્ટે.જાણવા જોગ દાખલ થતાં આ ગૂમ થનાર બાબતે અત્રેના પો.સ્ટે.ના થાણા અમલદારે અંગત રસ દાખવી જીલ્લાના તમામ પો.સ્ટે.તથા એલ.સી.બી/એસ.ઓ.જી તમામ લાગતી વળગતી શાખાઓમાં તેમજ અરવલ્લી જીલ્લામાં તેમજ ન્યુઝ ચેનલ મહાવીરનગર હિંમતનગરનાઓને આ ગુમ થનાર બાબતે તપાસ કરતાં-કરાવતાં તા.૧૬/૦૪/૦૧૬ ના રોજ આ ગુમ થનાર સુમનબેન વા/ઓ સંજ્યકુમાર રાજુભાઇ વાઘેલા રહે.ઋષિનગર નિરાલી હોસ્પિટલ સામે હિંમતનગર જી.સાબરકાંઠાવાળી ગાંધીનગર સેકટર-૦૭ ના પો.સ્ટે.થી મળી આવતાં અત્રેના પો.સ્ટે.થી મહિલા જાપ્તા હેઠળ આ ગૂમ થનાર નાઓને પો.સ્ટે.પરત લાવી નિવેદન મેળવી પરત અંગેની જાણ તમામ તમામ પો.સ્ટે.તથા એલ.સી.બી/એસ.ઓ.જી તમામ લાગતી વળગતી શાખાઓમાં તેમજ અરવલ્લી જીલ્લામાં તેમજ ન્યુઝ ચેનલ મહાવીરનગર હિંમતનગરનાઓને જાણ કરેલ અને આ ગૂમ થનારને તેના પરિવારને સોપવામાં આવેલ છે. જે સારીકામગીરી કરેલ છે. . જે વિદીત થાય
(૨) મે.નાયબ પોલીસ અધિક્ષક.સા.શ્રી હિંમતનગર વિભાગ હિંમતનગરનાઓની સુચના મુજબ મહિલા પો.સ્ટે.ખાતે પો.સ.ઇ તરીકે ફરજ બજાવતા હીના કૌશીકકુમાર વાઘેલા ઇચા.પોલીસ ઇન્સ્પેકટર, મહીલા પોલીસ સ્ટેશન,હિંમતનગર.તેમજ હિંમતનગર.બી.ડીવી.પો.સ્ટે.થી થાણા ઇન્ચાર્જ તરીકે પો.સ.ઇ ડી.ડી.પરમાર તથા સેકન્ડ પો.સ.ઇ તરીકે ફરજ બજાવતા એમ.એચ.દેસાઇ તેમજ બી.ડીવીઝન પો.સ્ટે.માં ફરજ બજાવતા અન્ય પોલીસ સ્ટાફના માણસો સાથે હિંમતનગર.બી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાવર ચોક, અવધુત ફુટવેરની ઉપર, ભારતવિજય લોજમાં, હિંમતનગર થાણાથી પુર્વે ફલાંગ-ર દુર, ટાવર બીટમાં આવેલ આ લોજમાં ખાનગી રાહે બાતમી હકીકત મળતાં હીંમતનગર ટાવર ચોક ખાતે આવેલ અવધુત ફુટવેર નામની દુકાનના ઉપરના ભાગે આવેલ વિજયભારત લોજના માલીક ગંભીરસિંહ દેવીસિંહ સિસોદીયા, રહે.હીંમતનગર વાળાઓ પોતાના આહાર ગૃહના ઓથા હેઠળ લોજ ઉપર બીજા તથા ત્રીજા માળે રુમો બનાવી ગે.કા. રીતે મહીલાઓને મેળવી રાખી વેશ્યાવૃતીનો દેહ વ્યપારનો ધંધો પોતાના અંગત ફાયદા સારુ કરે/કરાવે છે. જે આધારે તે જગ્યાએ તા.૨૨/૦૪/૨૦૧૬ ના ક.૨૦/૦૦ વાગે રેઇડ કરેલ જેમાં
આરોપીઃ(૧)ગંભીરસિંહ દેવીસિંહ સિસોદીયા,રહે.હીંમતનગર, (૨)તેમનો પુત્ર ગોપી, (૩)રામાભાઇ મીનાભાઇ બુબડીયા, રહે.મોટા અંબાજી, બસ સ્ટેન્ડની સામે, પેટ્રોલપંપની પાછળ, જી.બનાસકાંઠા (૪)ગુડૃસિંહ સુખદેવસિંહ રાજપુત, રહે.વાજીદપુર, તા.વિધાપતીનગર, જી.સમસ્તીપુર, બીહાર, હાલ રહે.માર્ક આઇસ ફેકટરી,ગઢોડા તા.હીંમતનગર, (પ)રીયાઝ યાકુબભાઇ મીસ્ત્રી, રહે.મોડાસા, કોલેજરોડ, જી.અરવલ્લી, (૬)રણજીતસિંહ સરતાનસિંહ મકવાણા, રહે.ભેટાલી,તા.ઇડર, જી.સાબરકાંઠા અને
ભોગ બનનાર મહિલાઓ-
(૧) વિનાબા વા/ઓ મહિપાલસિહ કકુસિંહ રાઠોડ રહે.સમલાપુર તા.ઇડર (૨) કાન્તાબેન વા/ઓ રમેશભાઇ ચૌહાણ રહે.નવા વડવાસા તા.મોડાસાજી.અરવલ્લી (૩) જીતકૌર વા/ઓ મનુસિંઘ ગણપતસિંઘ સસ્રદાર રહે.ગુરૂનાનક નગર મહેતા પેટ્રોલ પંપનીપાછળ હિંમતનગર (૪) રેખાબેન વા/ઓ અમરતભાઇ વાલાભાઇ રાવળ રહે.દોલપુર તા.મોડાસા જી.અરવલ્લી (૫) ગીતાબેન વા/ઓ મહેન્દ્રભાઇ રાવળ રહે.જી.ઇ.બી.ઓફીસ સામે પ્રાતિજ મુળ રહે.ભીલોડાની કાચી વસ્તી ઉદેપુર તા.જી.ઉદેપુર (૬) પદમાબેનવા/ઓ ઇસવરભાઇ જેઠાભાઇ વણકર રહે.મીઠાનામુવાડા તા.ઠાસરા જી.ખેડા હાલ રહે.ગાયત્રી મંદિર રોડ હસ્તીનાપુર પાસે હિંમતનગર
હકિકત – તે એવી રીતે કે આરોપી નં.૧ તથા ર નાએ પોતાની માલીકીની પરવાના નં.પર/ર૦૦૦ ની આહારગૃહ વિજયભારત રાજપુતાના લોજ ઘર નં.૧/૧૦૦ ટાવર ચોકના મકાનમાં આહરગૃહના ઉપરના ભાગે બીજા અને ત્રીજા માળે વગર પરવાનગીના ગેસ્ટ હાઉસમાં નાની નાની રુમો બનાવી, આ રુમોનો કુટણખાના તરીકે ઉપયોગ કરવા માટે બહારના પુરુષોને ગ્રાહક તરીકે વેશ્યાગમન કરવા માટે ગ્રાહકો લાવી, તેમજ બહારની સ્ત્રીઓ અને છોકરીઓને વેશ્યાવૃતી કરવા માટે રુપીયા આપવાની લાલચ બતાવી, આ મકાનમાં વેશ્યાવૃતી કરવા માટે લાલચ આપી, વેશ્યાવૃતી કરાવી, પોતાના આહાર ગૃહ વાળા મકાનનો પોતાના આર્થીક ફાયદાસારુ બે થી વધુ સ્ત્રીઓને વેશ્યા તરીકે રાખી એક બીજાના ફાયદા માટે કુટણખાનુ ચલાવી, કુટણખાનામાં લાવવામાં આવતા ગ્રાહક દીઠ વેશ્યા ગમનમાટે રુ.૪૦૦/- લઇ તે પૈકીના રુ.ર૦૦/- વેશ્યાવૃતી કરનાર સ્ત્રીને આપી તેમજ રુ.ર૦૦/- ગ્રાહક લાવી આપવાના તથા કુટણખાનાના ભાડા તરીકે દલાલી પેટે ઉઘરાવી લઇ, ભડવાઇ કરી, કુટણખાનાનો વહીવટ કરી, એક બીજાને મદદગારી કરી નં.૩ નાએ જયારે આરોપી નં.૧ તથા ર હાજર ન હોય તે દરમ્યાન ઉપરોકત તમામ સુવિધાઓ તથા કુટણખાનાનુ સંચાલન કરી વેશ્યાગમન માટે આવતા ગ્રાહકોને ચા-નાસ્તો, કોન્ડોમ, પુરા પાડી તેના બદલામાં કુટણખાના માલીકને કુટણખાનાની આવક માંથી તથા ભડવાઇની આવક માંથી મળતા હીસ્સાના ૧૦ ટકા ની આવક રોજે રોજ મેળવી તથા નં.૧,ર તથા ૩ આ આહાર ગૃહ પોતે જાહેર જગ્યા હોવા છતા તેમા કુટણખાનુ ચલાવી તેમજ નજીકમાં શાક માર્કેટ, બગીચો, પવિત્રમંદીર, હીંમત હાઇસ્કુલ શૈક્ષણીક સંકુલ, સરકારી પુસ્તકાલય જેવી જાહેર જગ્યાઓ ૧૦૦ મીટર ના વર્તળમાં જ આવેલ હોવાનુ જાણવા છતા કુટણ ખાનુ ચલાવી આરોપી નં.૪,પ, ૬ નાઓએ ઉપરોકત કુટણખાનુ ગે.કા. હોવાનુ જાણવા છતા કુટણખાનામાં જે સ્ત્રીના પોતે પતી નથી તેવુ જાણવા છતા પર સ્ત્રી સાથે રોકડા રુપીયા ચુકવી શરીર સુખ માણતાં કુટણખાનામાં બનાવેલ રુમોમાં રુમ બંધ કરી સ્ત્રીને અટકાવી રાખી નંબર-૦૩ થી ૦૬ પકડાઇ જઇ ગુનો કર્યા વિ. બાબત. જે મતલબે હિંમતનગર બી.ડી.પોલીસ સ્ટેશન સેકન્ડ ગુર.ન;૩૦૫૯/૨૦૧૬ ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્સન એકટ ૧૯૫૬ ની કલમ ૩.૪.૫.૬.૭.મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જે સારી કામગીરી કરેલ છે.
મે.નાયબ પોલીસ અધિક્ષક.સા.શ્રી હિંમતનગર વિભાગ હિંમતનગરનાઓના સુપરવિઝન સુચનાઓથી અત્રેના હિંમતનગર.બી.ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં ખનગી રાહે હકીકત મેળવી ગે.કા.સ કુટણખાનામાં ચાલતા વેશ્યાવૃતીના ગોરખ ધંધાઓ તથા તેની સાથે જોડાયેલા દલાલો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભોગ બનનાર સ્ત્રીઓને તેમની મજબૂરીઓ તથા લાગણીઓને ધ્યાને લઇ આ સ્ત્રીઓ પોતે પગભર થઇ એક સ્વચ્છ-સ્વસ્થ સમાજ બને તે રીતે આ સ્ત્રીઓને જ્ઞાત કરી સમાજમાં તેમજ આજુબાજુના મંદિર-મસ્જિદ શાળાઓ વેપાર ધંધાઓથી જોડાયેલા લોકોને આ પ્રકારના ચાલતા વેશ્યાવૃતીના ગોરખ ધંધાઓથી અળગા થઇ કુટણખાનાઓમાં ન જોડાય તેમજ ભવિષ્યમાં આવનાર કોઇ પેઢી આ વેશ્યાવૃતીથી કોઇ મહારોગોનું આગમન ન થાય તે સારૂ આ પ્રકારના કુટણખાનાઓને કાયમ માટે નેસ્તનાબુદ કરી શકાય તે રીતેની કાર્યવાહી કરવામાં આવેલ છે.
|