હું શોધું છું

હોમ  |

જિલ્લાનો પરિચય
Rating :  Star Star Star Star Star   

સાબરકાંઠા જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વમાં આવેલો છે. તેની પશ્ચિમની સરહદેથી વહેતી સાબરમતી નદીના નામથી જિલ્લો સાબરકાંઠા તરીકે ઓળખાય છે. તે ર૩.૦ર ઉત્તર અક્ષાંશથી ર૪.૩૦ ઉત્તર અક્ષાંશ મેજ ૭૪.૪૩ પૂર્વ રેખાંશથી ૭૩.૩૯ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે.

તત્કાલીન પશ્ચિમ ભારત સંઘના રજવાડાં, અન્ય ખાનગી મિલકતો તેમ જ પ્રાંતિજ તાલુકો, મોડાસા મહાલ, આંબલિયારા, મોહનપુર, માલપુર, બાયડ અને સાદરા વિભાગનાં અન્ય રજવાડાંઓ મળીને ઓગસ્ટ-૧૯૪૯માં સાબરકાંઠા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે અને મે-૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના સાથે સાબરકાંઠા જિલ્લો રાજ્યનો ભાગ બનેલ છે. અગાઉ આ જિલ્લો મહીકાંઠા એજન્સીનો ભાગ હતો અને તે નામથી ઓળખાતો હતો. સામાજિક કાર્યકરોના આંદોલનના કારણે મહીકાંઠાને બદલે સાબરકાંઠા નામાભિધાન કરવામાં આવ્યું.

સાબરકાંઠાની ભૂમિ પુરાતન કાળથી મનોહર છે. અહીંની ભીની માટીમાંથી સુગંધ પ્રગટે છે. આ ધરતી ભારતીય સંસ્કૃતિથી તરબતર છે. પ્રકૃતિ અહીં સ્વયં નૃત્ય કરે છે. અહીંની આહલાદકતા કોઈ પણ સંવેદનશીલ માનવીને ઝંકૃત બનાવી મૂકે છે.

ઇતિહાસ

સાબરકાંઠા જિલ્લાના ઇતિહાસને મુખ્ય ચાર ભાગમાં વહેંચી શકાય. ૧. પ્રાગ્ ઇતિહાસ (આજથી બે લાખ વર્ષ પૂર્વે થી ૬૦૦૦ વર્ષ પૂર્વે) આદિ પાષાણયુગ (આજથી બે લાખથી પચાસ હજાર વર્ષ પૂર્વે) સામાન્ય રીતે માનવજીવનના પ્રાદુર્ભાવ અને ઉત્ક્રાંતિના સમયગાળાને પ્રાગ્ ઇતિહાસ કહેવામાં આવે છે. આ કાળની સંસ્કૃતિઓને પથ્થરયુગોની સંસ્કૃતિ કહેવામાં આવે છે, કારણ કે આ સમગ્ર સમય દરમિયાન માનવને એક પણ ધાતુનું જ્ઞાન હતું નહીં કે કાચી ધાતુને ઓળખી પણ શકતો ન હતો. આથી જીવનનિર્વાહ માત્ર પથ્થરોનાં ઓજારો અને હથિયારોનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. ગુજરાતમાં પાષાણયુગના અભ્યાસની શરૂઆત ભૂસ્તરશાસ્ત્રી રોબર્ટ બ્રુસ ફુટે ઈ. સ.૧૮૯૩-૯૪માં સાબરમતી નદિકાંઠા વિસ્તારમાં સંશોધન અભ્યાસ કરીને આદિ પાષાણયુગનાં હથિયારો શોધી કાઢયાં. તેનો અહેવાલ ઈ. સ.૧૮૯૪માં પ્રગટ થયેલાં રેકર્ડસ ઓફ ધી બ્રિટિશ એસોસિએશન ઓફ ધી એડવાન્સમેન્ટ ઓફ સાયન્સમાં પ્રગટ થયો. ત્યારબાદ પ્રો.સાકળીયાને ઈ.સ.૧૯૭૪માં મોડાસા કાઠા વિસ્તારની માઝુમ નદીમાંથી આવા ઓજારો મળ્યા. ઉપરાંત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધનસુરાના પ્રિન્સીપાલ ડો. સુમનબેન એચ.પંડયા દ્વારા માઝુમ નદીનાં મોડાસા કાંઠા વિસ્તાર તથા શિણોલ પાસેથી પથ્થરના ઓજારો બનાવેલાં શિલાગભોર્ તથા પથ્થરમાંથી પાડવામાં આવેલી મોટી પતરીઓ મળી આવ્યાં. આભાપુર પાસેનાં હરણાવ નદીવિસ્તારમાં પણ આવાં ઓજારો મળી આવ્યાં. મઘ્યપાષાણ યુગ (આજથી પચાસ હજારથી વીસ હજાર વર્ષ પૂર્વે) નદીકાંઠા વિસ્તારમાં વસતો માનવ હવે થોડા અંદરના ભાગે વિસ્તર્યો. પરંતુ તેની પ્રવૃત્તિનું મૂળ સ્થળ તો નદીકાંઠા વિસ્તાર જ રહ્યું. હવે તે ચીકણાં, ઘટૃ અને સહેલાઈથી ઘાટ આપી શકાય તેવા કાચા માલ અને ટેકનિક તરફ વળ્યો. મૂળ પથ્થરની એક બાજુએ ચારેબાજુએ છીલકા છૂટા પાડી પછીથી છીલકા ઉતારેલા ભાગને જ પથ્થરથી છૂટો પાડી ખાસ કુહાડી બનાવવામાં આવતી. આવી એક કુહાડી મોડાસા પાસે માઝુમ નદીકાંઠામાંથી મળી આવેલ છે. આવાં ઓજારો આપને માઝુમ, સાબરમતી અને હરણાવ કાંઠાવિસ્તારમાંથી મળે છે. અંત્ય પાષાણયુગ (આજથી વીસ હજારથી દસ હજાર વર્ષ પૂર્વે) પાષાણયુગનો આ છેલ્લો તબક્કો છે. આ કાળનાં ઓજારોમાં વિપુલતા જોવા મળે છે. અને મોટા ભાગે તે રેતીનાં ટેકરાઓના મઘ્ય ભાગોમાં અને નદીકાંઠા વિસ્તારોમાં મળે છે. આ કાળનાં ઓજારો/હથિયારોમાં જુદાજુદા સ્કે્રપર્સ, કાણા પાડવાના અણીદાર પથ્થરો, રંધા અને મોટા પાનાનો સમાવેશ થાય છે. આ ગભોર્ અને ઓજારો ધનસુરા તાલુકાના રેતીના ટેકરાના મઘ્ય ભાગેથી મળ્યા છે. સંક્રાન્તિકાળ (આજથી દસ હજારથી છ હજાર વર્ષ પૂર્વે) આ કાળમાં માનવ અત્યંત નાનાં ઓજારો બનાવતો હોવાથી તેનાં ઓજારોને લઘુ ઓજારો કહેવામાં આવે છે. આવા સ્થળો સાંબરકાંઠામાં ઘણા હોવા છતાં સમગ્ર ગુજરાતમાં માત્ર બે જ એક મહેસાણા જિલ્લાનું લાંધણજ અને સાબરકાંઠા જિલ્લાના ધનસુરા પાસેના ગોરમાટીના ટીંબા ઉપર ઉત્ખનનો થયાં છે. ગોરમાટીના ઉત્ખનનમાંથી વિવિધ આકારનાં ગભોર્ સ્ક્રેપરો, બ્લેડો, વિવિધ પ્રકારનાં અર્ધચન્દ્રકારો અને ત્રિકોણાકાર સ્ક્રેપરો મળ્યાં. ર. પ્રાચીન ઇતિહાસ (ઈ.સ.પૂર્વે ત્રીજી સદીથી ઈ.સ.૧૩૦પ) ક્ષત્રપ સત્તા સાબરકાંઠાનો પ્રાચીન ઇતિહાસ મૌર્યના શાસનથી શરૂ થાય છે. પરંતુ પ્રાચીન ઇતિહાસની વિસ્તૃત માહિતી આપણને ક્ષત્રપ શાસનથી મળે છે. ક્ષત્રપો વિદેશી હતા. પરંતુ ભારતમાં આવીને તે ભારતીય બની ગયા. મેશ્વો નદીને કાંઠે ભિલોડા તાલુકામાં આવેલા શામળાજીના તથા દેવની મોરીના ઉત્ખનનોમાંથી ક્ષત્રપકાળના ઘણા શિલ્પો મળી આવેલાં છે. ગુપ્ત સત્તા સાબરકાંઠામાં ગુપ્તોનું શાસન ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના ઈ.સ.૪૬૭ સુધી ચાલુ રહ્યું. ગુપ્ત કાળના ઘણાં શિલ્પો જેવા કે, શામળાજીમાંથી મળેલા શિવ અને નંદી તથા ઉભા ગણેશજી અને માતૃકાઓનાં શિલ્પો મુખ્ય છે. ખેડબ્રહ્મા તથા શામળાજીમાંથી આ કાળના રહેણાંકના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. મૈત્રક સત્તા ગુજરાતમાં મૈત્રકસત્તાની સ્થાપના ઈ.સ.૪૭૦માં થઈ જે ઈ.સ.૭૮૮ સુધી રહી. જેની રાજધાની ભાવનગર જિલ્લાના વલભી મુકામે હતી. આ સમય દરમિયાન સાબરકાંઠાનો હાલનો વિસ્તાર મૈત્રકોના સીધાં શાસન નીચે આવ્યો. મૈત્રકો શૈવ ધર્મી હતા. તેમના દાનપત્રો વડનગર અને માળવામાંથી મળી આવેલ છે. શામળાજી, ઈડર, ખેડબ્રહ્માથી આ કાળના ઘણા છૂટાછવાયાં શિલ્પો મળી આવ્યાં છે. જે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈમાં પ્રદર્શિત કરેલા છે. હિંમતનગર તાલુકાના રોડા ગામે આવેલા મંદિર સમૂહ મૈત્રક સત્તા દરમિયાનના ગણાય છે. આમાંના ઘણા શિલ્પો હાલ વડોદરા મ્યુઝિયમમાં સંગ્રહિત છે. રાષ્ટ્રકુટો અને પરમારોનું શાસન મૈત્રક સત્તાના અંત પછી ઈ.સ. નવમી સદીમાં સાબરકાંઠા સીધું રાષ્ટ્રકુટ શાસન નીચે આવ્યું. આ વખતે હર્ષપુર કે જે આજે તલોદ તાલુકાના હરસોલ તરીકે ઓળખાય છે. તે રાષ્ટકુટોનું વહીવટી મુખ્ય મથક હતું. રાષ્ટ્રકુટોનો મહાસામંત પ્રચંડ અહીં શાસન સંભાળતા હતો. પાછળથી રાષ્ટ્રકુટોએ સાબરકાંઠાનું શાસન પોતાના ખંડીયા માળવાના પરમારોને સૉંપ્યું. જેનું શાસન લાંબા સમય સુધી ચાલુ રહ્યું. સોલંકી વાઘેલા સત્તા ગુજરાતમાં સોલંકી વાઘેલાનું શાસન ઈ.સ.૯૪ર થી ઈ. સ.૧૩૦૪ સુધી રહ્યું. ઈ. સ.૧૧૩૬ માં ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે માળવાના પરમાર રાજા નરવર્માને હરાવીને સાબરકાંઠામાં પોતાનું શાસન સ્થાપ્યું. ત્યારબાદ ઈ. સ.૧ર૯૯ માં મેવાડ શામળાજીના રસ્તે થઈ તુર્કોએ ગુજરાત ઉપર આક્રમણ કર્યુ. પાટણનાં વાધેલા રાજા કર્ણદેવને હરાવીને ગુજરાતને તુર્કોએ કબજે કર્યુ. આમ, સાબરકાંઠાના પ્રાચીન ઇતિહાસનો અંત આવ્યો. અને તે મુસ્લિમ શાસન નીચે આવ્યું. ૩. મઘ્યકાલીન ઇતિહાસ (ઈ. સ.૧૩૦પ થી ઈ. સ.૧૭૬૦) આ સમયગાળા દરમિયાન જિલ્લામાં મુસ્લિમ સલ્તનતનું શાસન રહ્યું. ૪. આધુનિક ઇતિહાસ (ઈ. સ.૧૭૬૦ થી ઈ. સ.૧૯૪૭) શિવાજીએ ઈ.સ.૧૬પ૩ માં સ્વતંત્ર મરાઠા રાજયની સ્થાપના કરી. અને ઈ. સ.૧૭૩૧ માં ગુજરાતમાં મરાઠી સત્તા સ્થપાઈ. ઈ. સ.૧૮૧૮ માં અંગ્રેજોના હાથે પેશ્વાની હાર થતાં ગુજરાતમાં અંગ્રેજોને અધિકાર મળ્યા. ઈ. સ.૧૮ર૦માં સયાજીરાવ ગાયકવાડ સાથે સંધિ કરીને સાબરકાંઠા સહીતનો મહિ કાંઠા એજન્સીનો સમગ્ર વહીવટ પોતાના હસ્તક લીધો. ઈ.સ. ૧૯૩૩માં સાબરકાંઠા એજન્સીની અલગ રચના કરવામાં આવી. પરંતુ ઈ.સ. ૧૯૪૪માં રદ કરી તેને ઈડર સાથે જોડી દેવામાં આવ્યું. સ્વતંત્રતા પહેલાં આજના સાબરકાંઠા જિલ્લામાં ર૯ જેટલાં રજવાડાં હતાં. જે મહીકાંઠા એજન્સીનાં હતાં. ઈ. સ. ૧૯૪૮માં 'મહીકાંઠા' જિલ્લો નામ આપવામાં આવ્યું હતું. પરંતુ મહી નદી આ જિલ્લામાંથી પસાર થતી ન હોઈ મહીકાંઠા જિલ્લો એ નામ સંદિગ્ધિ હતું. સામાજિક કાર્યકરોની ચળવળથી મહીકાંઠા નામ બદલીને જિલ્લાની સરહદેથી વહેતી સાબરમતીના નામ ઉપરથી સાબરકાંઠા જિલ્લો નામ રાખવામાં આવ્યું. તે વખતના મુંબઈ રાજયના ર૯ રજવાડાઓ અને જાગીરો પહેલાંનાં અમદાવાદ જિલ્લાનો પ્રાંતિજ તાલુકો અને મોડાસા મહાલ ભેળવી તારીખ ૧લી ઓગષ્ટ, ૧૯૪૯ થી સાબરકાંઠા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. ભુતપૂર્વ પશ્ચિમ ભારતના દેશી રાજયોની એજન્સીના સાદરા વિભાગના બીજા રાજયો આંબલીયા, મોહનપુરા, માલપુર અને બાયડને આ જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યા હતા. નવેમ્બર, ૧૯પ૬ માં રાજયની પુન:રચના થતાં મુંબઈ રાજયની વિદર્ભ મરાઠાવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશોની સાથે રચના કરવામાં આવી. અને સાબરકાંઠા જિલ્લો બૃહદ મુંબઈ રાજયનો એક ભાગ બન્યો. છેલ્લે ૧લી મે, ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજયની અલગ રચના થયા બાદ રાજયનો એક અભિન્ન હિસ્સો બન્યું. ગુજરાત રાજયના ઉત્તર પુર્વમાં સાબરકાંઠા જિલ્લો આવેલો છે. ર૩-૦ર ઉત્તર અક્ષાંશ થી ર૪-૩૦ ઉત્તર અક્ષાંસ તેમ જ ૭૪-૪૩ પુર્વ રેખાંશથી ૭૩-૩૯ પુર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. દુનિયાનું કર્કવૃત સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે. જિલ્લા સાબરકાંઠા જિલ્લો ૭૩૯૦ ચો.કિ.મી. નો વિસ્તાર ધરાવે છે. જે રાજયના ૪-ર % જેટલો વિસ્તાર છે. એનો ઉત્તર પૂર્વનો ભાગ અરવલ્લીની પર્વતમાળાઓથી આચ્છાદતિ છે. પંચમહાલ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓ આ જિલ્લાની સરહદે આવેલા છે. ર૦૦૧ ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ર૦,૮૩,૪૧૬ છે. જિલ્લામાં કુલ તેર તાલુકા આવેલા છે. હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, ધનસુરા, બાયડ, મોડાસા, મેઘરજ, માલપુર, વિજયનગર અને ભિલોડા. જિલ્લાનું મુખ્યમથક હિંમતનગર છે. જયાં અંદાજે ૯૦ ઉપરાંત રાજય સરકારની કચેરીઓ અને જિલ્લા પંચાયતની મુખ્ય કચેરી તથા એની સંલગ્ન કચેરીઓ પણ આવેલી છે. તેર તાલુકા પંચાયતો ઉપરાંત જિલ્લામાં વિવિધ તાલુકા મળીને કુલ ૭૦૯ જેટલી ગ્રામપંચાયતો છે. ભૃપુષ્ઠ આબોહવા સાબરકાંઠા જિલ્લો મહદઅંશે ડુંગરાળ પ્રદેશ અને મેદાન પ્રદેશ ધરાવે છે. અરવલ્લીની પર્વતની ગિરીમાળાઓ જિલ્લાના ઉત્તર અને પુર્વ ભાગમાં પથરાયેલી છે. ડુંગરાળ પ્રદેશની ઉંચાઈ ૩૦૦ થી ૯૦૦ મીટર સુધીની છે. જિલ્લાનો દક્ષિણ-પશ્ચિમ ભાગ રેતાળ છે. જિલ્લામાં મુખ્યત્વે રેતાળ, ગોરાડું અને મઘ્યમ કાળી જમીન છે. જિલ્લાની આબોહવા વિષમ છે. ઉનાળામાં ૪૦-૪૭ ડિગ્રી તાપમાન અને શિયાળામાં ૬-૧ર ડિગ્રી તાપમાન રહે છે. જિલ્લામાં વરસાદનું પ્રમાણ અનિયમિત છે. સરેરાશ વરસાદ ૭૧પ થી ૧૦૦૦ મી.લી. જેટલો પડે છે. વરસાદ મહદઅંશે જુન માસમાં શરૂ થઈ સપ્ટેમ્બર સુધી પડે છે. જેમાં જુલાઈ-ઓગષ્ટ માસમાં વરસાદનું પ્રમાણ વધુ હોય છે. જિલ્લાના બધા જ ભાગમાં વરસાદનું પ્રમાણ એકસરખું નથી. જંગલો સાબરકાંઠા જિલ્લામાં ૧ર૭૩-૬૪ ચો.કિ.મી. જેટલો વિસ્તાર જંગલ આચ્છાદીત છે. આ જંગલમાં ઈમારતી લાકડાની અને બળતણના લાકડાની મુખ્ય પેદાશ છે. આ ઉપરાંત ગુંદર, ધાસ, મહુડાંના ફુલ, આમળા, અરીઠા, ટીમરુ પાન વિગેરે ગૌણ પેદાશો મળે છે. નદીઓ-પર્વતો-તળાવો જિલ્લાના ઈડર તાલુકા મથકે ઈડરીયો ગઢ આવેલો છે. જિલ્લાના પુર્વ વિસ્તારમાં માલપુર, મેધરજ, ભિલોડા, વિજયનગર, ખેડબ્રહ્મા તાલુકામાં અરવલ્લીની ગિરીમાળાઓ આવેલી છે. જેની વધુમાં વધુ ઉંચાઈ ૮૦૦ ફુટ છે. આ ગિરીમાળાઓમાંની કેટલીક નાની મોટી ટેકરીઓ હિંમતનગર તાલુકાના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. જિલ્લાના પશ્ચિમ વિસ્તારના બાયડ તાલુકામાં વાંધા અને કોતરો આવેલી છે. જિલ્લામાં સાબરમતી, હાથમતી, મેશ્વો, માઝુમ, વાત્રક, હરણાવ અને ખારી એમ મુખ્ય સાત નદીઓ વહે છે. મોટા ભાગની નદીઓ અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળી સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થઈ સાબરમતીને મળે છે. સાબરમતી નદી ઉત્તર થી દક્ષિણ જિલ્લાની પશ્ચિમ સરહદ ઉપર વહે છે. જયારે બાકીની નદીઓનો પ્રવાહ ઈશાન થી વાયવ્ય સુધીનો છે. આ ઉપરાંત ઈન્દાસી, સઈ, ગુહાઈ, વેકણ, ડેભોલ, સાકરી, ભેકાઈ, બુઢેલી, કોસંબી અને વરણાસી નામની નદીઓનો પ્રવાહ પણ વહે છે. જિલ્લાના મોટા ભાગની નદીઓનો પ્રવાહ ઉનાળામાં સુકાઈ જાય છે. હાથમતી, મેશ્વો, માઝુમ, હરણાવ, ગુહાઈ નદીઓના પાણી જળબંધ કે આડબંધ દ્વારા રોકીને પાણીનો મર્યાદિત પ્રમાણમાં સિંચાઈ માટે વપરાશમાં લેવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 01-07-2011