|
સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.ડી.શ્રીવાસ્તવ હિંમતનગર વિભાગ હિંમતનગર નાઓ ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં .એસ .આર .બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા. તા.૧૫/૦૨/૨૦૧૬ થી તા .૨૧/૦૨/૧૬ સુધીની વિગત નીચે મુજબ છે.
તા.૨૧/૦૨/૨૦૧૬ નારોજ તલોદ પોલીસ સ્ટેશનના મુધાસણા ગામ ખાતે કલાક.૧૨/૦૦ થી ક.૧૪/૩૦ સુધી નાયબ પોલીસ અધિક્ષક એ.ડી.શ્રીવાસ્તવ શ્રી ની અધ્યક્ષતામાં ગતીશીલ ગુજરાત અંતર્ગત લોકદરબારનુ આયોજન કરવામાં આવેલ. જેમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિંમતનગર વિભાગ, હિંમતનગરનાઓ દ્વારા પોલીસે કરવાની કામગીરી તથા લોકોએ રાખવાની તકેદારી બાબતેનુ વિગતવારનુ ઉદબોધન કરવામાં આવેલ. તેમજ . નાયબ પોલીસ અધિ. . નાઓએ ગામના ઉપસ્થિત તમામ માણસો વ્યસન મુક્તિ બાબતે વિગતવા ચર્ચા કરી તેનાથી થતા સામાજીક, આર્થીક નુકશાન બાબતેની સમજ આપી. તથા ટી.વી.માં બતાવવામાં આવતી લોભભામણી જાહેરાતથી બચવુ અને લાલચમાં ન આવવુ તેમજ દારૂ બાબતે જાતેથી રેઇડો કરવા જવુ નહિ જે બાબતે પોલીસને જાણ કરવી પોલીસ કાયદેસરની કાર્યવાહિ કરશે. તથા જમીન બાબતે છેતરપીડી કરનાર માણસોથી બચવુ. તથા સમાજમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારો રોકવા માટે તમામે પ્રયાસો કરવા. પોતાની બેન – દિકરીઓને થતા શારીરીક માનસીક ત્રાસ બાબતે કુટુબ સહાયતા કેન્દ્રનો સંપર્ક કરવો. તથા ૧૮ વર્ષથી નીચેની વયનુ બાળક તમ્બાકુ કે ગુટખા વેચશે કે ખરીદશે તેના આવા કામમાં રાખશે તો તેના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવહિ કરવામાં આવશે. જેવી તમામ ઉપરોક્ત બાબતે વિગતવારની ચર્ચા કરવામાં આવી. અને ગામમાં હાલમાં શાંન્તી છે. તેમજ ઉપસ્થિત તમામ માણસોને ચા-નાસ્તો કરાવવામાં આવેલ અને આભાર માની લોકદરબાર પુર્ણ કરવામાં આવ્યો. જે સારી કામગીરી કરેલ છે. જે વિદીત થાય.
|
|