|
સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.ડી.શ્રીવાસ્તવ હિંમતનગર વિભાગ હિંમતનગર નાઓ ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં .એસ .આર .બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા. તા.૦૮/૦૨/૨૦૧૬ થી તા .૧૪/૦૨/૧૬ સુધીની વિગત નીચે મુજબ છે.
તા.૧૪/૦૨/૨૦૧૬ નારોજ તલોદ પોલીસ સ્ટેશનના હરસોલ સબ માર્કેટ યાર્ડ ખાતે કલાક.૧૨/૦૦ થી ક.૧૪/૩૦ સુધી નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.ડી.શ્રીવાસ્તવ ની અધ્યક્ષતામાં ગતીશીલ ગુજરાત અંતર્ગત લોકદરબારનુ આયોજન કરવામાં આવેલ. જેમાં તલોદ તાલુકા વિસ્તારના જીલ્લા પંચાયત સદસ્ય વિનુભાઇ છબાભાઇ પટેલ રહે.વાવ તથા અંબાલાલ દાનાભાઇ પટેલ તથા મંગુસિંહ ઝાલા તથા લીયાકતભાઇ હરસોલ સરપંચ તથા રાજુભાઇ રાવળ માજી સરપંચ –હરસોલ તથા જીતુસિંહ પૃથ્વીસિંહ તાજપુર કેમ્પ –સરપંચ તથા જીન્દુસિંહ સરપંચ પાશીનામુવાડા તથા ભુપન્દ્રસિંહ ઝાલા વાવડી સરપંચ તથા રણુસિંહ ઝાલા બોરીયા સરપંચ તથા અન્ય સામાજીક કાર્યકરો તથા રાજકિય આગેવાનો તથા અગ્રણી નેતાઓ મળી આશરે ૨૦૦ જેટલા માણસો લોકદરબારમાં ઉપસ્થિત રહેલ હોય જેમાં .નાયબ પોલીસ અધિ..નાઓ દ્વારા પોલીસે કરવાની કામગીરી તથા લોકોએ રાખવાની તકેદારી બાબતેનુ વિગતવારનુ ઉદબોધન કરેલ અને ત્યારબાદ ઉપસ્થિત લોકો દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નોના પ્રત્યુત્તર મે. ના. પો. અધિ.. શ્રી દ્વારા આપવામાં આવેલ. તેમજ ઉપસ્થિત તમામ માણસોને ચા-નાસ્તો કરાવવામાં આવેલ તેમજ સદર લોકદરબારની વિગતવાની નોંધ બનાવી લોક દરબારમાં ઉપસ્થિત તમામ માણસોનો આભાર માની લોકદરબાર પુર્ણ કરવામાં આવ્યો.જે સારી કામગીરી કરેલ છે.
|
|