|
જિલ્લા પોલીસ કલ્યાણનિધિ ફંડની સિદ્ધિઓની વિગત:
- જિલ્લા પોલીસ અધિકારી/કર્મચારીઓ માટે દર વર્ષે એક દિવસનો પગાર વસુલ લેવામાં આવે છે અને આ યોજનામાં જોડાયેલ અધિકારી/કર્મચારીનું અવસાન થાય તો સ્મશાનવિધી માટે મરણોત્તર સહાય પેટે રૂ.૧૦૦૦૦/-નું ચુકવણું તત્કાલ મરહૂમની વિધવા/બાળકોને ચૂકવવામાં આવે છે.
- પોલીસ અધિકારી તથા કર્મચારીઓનાં બાળકો માટે રહેઠાણ સંકુલ નજીક બાળક્રીડાંગણ પોલીસ લાઈનમાં બનાવવામાં આવેલ છે.
- પો.હેડ ક્વા. ખાતે નવરાત્રી પર્વનું સુંદર આયોજન કરી ગરબા હરીફાઈ રાખવામાં આવે છે.
પોલીસ કલ્યાણ પ્રવૃત્તિઓ/પોલીસ કર્મચારીઓનાં ફંડફાળા દ્વારા વેલ્ફેર દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓ:
- પોલીસ અધિકારી/કર્મચારીઓનાં બાળકો ધોરણ પ થી ૧ર સુધીમાં અભ્યાસ કરતાં હોય અને ૬૦ થી ૬પ % પ્રથમ પ્રયત્ને મેળવી પાસ થાય તેઓને મહે.ડી.જી.પી સા.શ્રી પરિપત્ર પ્રમાણે દર વર્ષે શિષ્યવૃત્તિનાં નાણાં જિલ્લા વેલ્ફેર ફંડમાંથી ચૂકવવામાં આવે છે.
- પોલીસ અધિકારી / કર્મચારીઓનાં બાળકો ધોરણ-૧ર પછી કોલેજમાં અભ્યાસ કરતાં હોય અને પ૦% થી વધુ ગુણ મેળવે તેઓને નિયમ મુજબ પુસ્તકસહાય તથા શિષ્યવૃત્તિનાં નાણાં ચૂકવવા માટે મહે.ડી.જી.પી. સા.શ્રીની કચેરીને દરખાસ્ત કરવામાં આવે છે. (તેઓશ્રીની કચેરીએથી માગણી આવે ત્યારે)
- પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે સીવણવર્ગ ચલાવવામાં આવે છે. તે ચલાવવા માટે એક સીવણ ઈન્સ્ટ્રક્ટરની નિમણૂક કરવામાં આવેલ છે. તેઓને માસિક રૂ.૧પ૦૦/- લેખે મહેનતાણું ચૂકવવામાં આવે છે. (વેલ્ફેર ફંડમાંથી)
- પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે બાલમંદિર ચલાવવામાં આવે છે. જેમાં એક બાલમંદિર શિક્ષિકાની નિમણૂક કરેલ છે. જેને માસિક રૂ.૬૦૦/- લેખે વેલ્ફેર ફંડમાંથી મહેનતાણું ચૂકવવામાં આવે છે.
- પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે ફલોર મિલ (ઘંટી) કોન્ટ્રાકટર દ્વારા ચલાવવામાં આવે છે જેમાં બજાર ભાવ કરતાં રૂ. ર/-પૂરા ર૦ કિલો દળાઈએ ઓછા લેવામાં આવે છે. અને ઘંટી સંબંધી તમામ ખર્ચ તથા લાઈટ બિલ કોન્ટ્રાકટરે ભરવાની શરતે માસિક રૂ.3પ૦/-પૂરા વેલ્ફેર ખાતે જમા કરાવવાની શરતે ઘંટી કોન્ટ્રાકટર દ્વારા ચલાવવામાં આવે છે.
- પોલીસ કર્મચારીઓને તથા તેમના કુટુંબીજનોની બીમારીના કારણે મેડિકલ સારવારમાં લોનની માગણી કરે તો મહે.ડી.જી.પી.સા.શ્રીના પરિપત્ર મુજબ સરકારી દવાખાનાના ડો.શ્રીએ આપેલ ખર્ચ અંગેના સર્ટિ આધારે થનાર ખર્ચના ૮૦ % પ્રમાણે મેડિકલ લોન આપવામાં આવે છે.
- કોઈ પણ પોલીસ કર્મચારી સિલાઈમશીનની લોનની માગણી કરે તો મહે.ડી.જી.પી.સા.શ્રીના પરિપત્ર પ્રમાણે સિલાઈ મશીનની લોન ચૂકવવામાં આવે છે.
- મહે.ડી.જી.પી.સા.શ્રીના પરિપત્ર પ્રમાણે જિલ્લાના પોલીસ અધિકારી/ કર્મચારીઓને દૂરના તથા નજીકનાં ચશ્માં ખરીદી કરી તેના બિલ સાથે માગણી કરે તો ચશ્માં સહાયનાં નાણાં વેલ્ફેર ફંડમાંથી ચૂકવવામાં આવે છે.
- પોલીસ કર્મચારીઓના બાળકોના અભ્યાસ અર્થે કોમ્પ્યુટર લેવા માંગતા હોય તેવા કર્મચારીને વેલ્ફર ફંડમાંથી સરળ હપ્તાથી પરત ભરવાની શરતે રૂ.૫૦૦૦૦/-ની લોન આપવામાં આવે છે.
ગુજરાત પોલીસ બંધુત્વ સહાય
- પોલીસ અધિકારી/કર્મચારીના દર વર્ષે એક વાર બંધુત્વ સહાય રૂપે પગારમાં થી રૂ.૫૦૦/- કપાત કરવામાં આવે છે. જેનો ઉપયોગ રાજયમાં કોઇ પણ પોલીસ અધિકારી/કર્મચારીનું મૃત્ય થાય તો તેના કુટુમ્બીજનોને તાત્કાલીક સહાય રૂપે રૂ.૧૦૦૦૦૦/- (એક લાખ રૂપીયા) ની સહાય આપવામાં આવે છે જે પરત લેવામાં આવતા નથી.
|
|