|
ખેડબ્રહ્મા માતાજીનુ ધામ ધણા પુરાતન કાળનુ છે.બ્રહમક્ષેત્ર નગર વસ્યુ તે સમયનુ તે છે.જે હાલ ખેડબ્રહ્મા નગર તરીકે જાણીતુ છે. તેની વસ્તી આશરે પાંત્રીસ હજારી મોટા વિસ્તાર સાથે આ સ્થાળ ભગવતીની રસપ્રદ કથાઓ સાથે સંક્રાયેલુ છે.માતાજીએ મહિસાસુર દૈત્યનો વધ કરવા માતાજી પ્રગટયા હતા. આ માતાજીનુ પ્રાગટય સર્વ દેવતાઓના મુખમાંથી નિકળેલા તેજના સમુહ માંથી થયેલુ છે. એ તેજ સમુહશ્રી આદીમાયા મહામાયા પરંબાનુ સ્વરૂપ ગણાય છે.તે સગુણ નિરાકાર અને વ્યાપક સ્વરૂપ છે.જે ખેડબ્રહ્મા સ્થાનમાં જ સ્વરૂપે માતાજી બિરાજે છે.આ મહિસાસુરનો સંગ્રામ સત્યયુગમાં થયેલો એમ પુરાણ ગ્રથોમાં લખેલ છે. અને માતાના તેજ પુજને ભરત ખંડની આ ભૂમિમાં માતાએ સ્થાન પસંદ કર્યુ અને તે ભૂમિમાં સમાયા તે આ બ્રહમક્ષેત્રની જગ્યાએ ખેડબ્રહ્મા પવિત્ર સ્થળ બન્યુ હતુ. ત્યાં પુરાતન મંદિર ઈ.સ.પૂર્વે બીજી કે ત્રીજી શતાબ્દિનું મનાય છે.
યાત્રાળુઓ માટે પુરતી સગવડો વાળી ધર્મશાળાઓની વ્યવસ્થા છે.મંદિરની બાજુમાં ભોજનશાળા ઉપર ૧૦૦૦ માણસોનો સત્સંગ હોલ સંપૂર્ણ સુવિધાઓ સાથે તૈયાર કરેલ છે.માતાજી સ્ટ્રસ્ટ ઘ્વારા ઓછા દરે રહેવા -જમવાની સગવડ છે. મંદિરની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ અને અંબિકા મંડળ સંભારે છે.
અંબાજી માતાજીના સંપૂર્ણ શ્રઘ્ધાથી દર્શને આવનાર હરેક યાત્રીકોના મનોરથ પૂર્ણ થાય છે.ભકતની સધરી મનોકામનાઓ પૂર્ણ થાય છે.સુક્ષ્મથી વધુ સુક્ષ્મ સ્વરૂપે તેજ પૂજના તત્વોના પણ તત્વો રૂપે બિરાજેલાં મહામાયા જગત કલ્યાણી એવાં શ્રી અંબિકા માતાજી પ્રગટ થયા અને શાંતિ મેળવવા માટે જગતંબાનુ આરાધના કરવાથી વૈકુંઠ ધામ પામે છે.
યાત્રી માટે પોલીસ વ્યવસ્થા :
મંદિર ખાતે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવેલ સીકયોરીટી સ્ટાફ અને સ્વયંસેવકો ઉપરાંત સશસ્ત્ર પોલીસ અને ટુરિઝમ પોલીસ યાત્રીકોની સુરક્ષા માટે ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનથી જરૂરીયાત મુજબ પોલીસ કર્મચારી રાખવામાં આવશે. રવિવાર અને પૂણીર્માના સ્થાનીક પોલીસથી બંદોબસ્ત રાખવામાં આવે છે.રાખવામાં આવશે.
સંપર્ક :
|
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન
|
૦ર૭૭પ-રર૦૦૬૪
|
જિલ્લા પોલીસ નિયંત્રણ કક્ષ
|
૦ર૭૭ર-ર૪૧૩૦૩,૧૦૦
|
ફેકસ
|
૦ર૭૭ર - ર૪૭૯૩૩
|
|
|
|