|
સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ માલ સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પટેલ જયોતિ પંકજ અને એમ.વી..કીકાણી પોલીસ ઈન્સપેકટર ઇડર પોલીસ સ્ટેશન અને ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં .એસ .આર .બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા. તા.૦૧/૦૬/૨૦૧૫ થી તા .૦૭/૦૬/૧૫ સુધીની વિગત નીચે મુજબ છે.
(૧) તા.૦૧/૦૬/૨૦૧૫ ના રોજ ઇડર એસ.ટી.સ્ટેન્ડથી એક બાળક નામે ઉમેશ બિનવારસી મળી આવેલ જેને અત્રેના પો.સ્ટે. લાવી અત્રેના પો.સ્ટે. ના એસ.જે.પી.યુ. આશાબેન બાબુલાલ બ.નં.૦૧૪૩ નાઓ મારફતે તેમજ ટાઉનના માણસો તથા નજીકના રાજસ્થાન બોડૅર તથા જીલ્લાના પોલીસ સ્ટેશનના ફોન મારફતે બાળક બાબતે જાણ કરતા રાજસ્થાનના ભેરુલાલ હુકલાજી મેણા રહે.દમાણા તા.જાડોલ જી.ઉદેપુર પોલીસ સ્ટેશન ફલાસીયા નાઓ તા.૦૨/૦૬/૨૦૧૫ના રોજ પોતાના બાળક ગુમ થયેલ હોઇ અને ઓળખી બતાવેલ હોઇ જેને પોતાના વાલી વારસાને આ બાળક સોપવામાં આવેલ છે.
(૨) ગઇ તા.૦૫/૦૬/૨૦૧૫ ના રોજ સવારના ૦૮/૩૦ કલાકે ચિઠોડા નવિન પોલીસ સ્ટેશન કાર્યરત કરવા માં આવેલ જેમા અમો તથા પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા તથા માજી ધારાસભ્ય શ્રીમતી રમીલાબેન બારા તથા મામલતદાર શ્રી વિજયનગર તથા ટી.ડી.ઓ.સા.શ્રી વિજયનગર તથા વિજયનગર તાલુકાના આગેવાનો નાઓ ની ઉપસ્થિતિમાં ચિઠોડા પોલીસ સ્ટેશનનું લોકાઅર્પણ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|