સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના બી.એ.પટેલ પોલીસ ઈન્સપેકટર પ્રાંતિજ પોલીસ સ્ટેશન ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં .એસ .આર .બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા. તા.૦૨/૦૩/૨૦૧૫ થી તા .૦૮/૦૩/૧૫ સુધીની વિગત નીચે મુજબ છે.
તા.૦૧/૦૩/૨૦૧૫ ના કલાક ૨૩/૦૦ વાગે પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઓરાણ ગામેથી, ઓરાણ ગામના સરપંચશ્રી, રઇશભાઇ તીરમીજી દ્વારા ફોનથી જાણ કરવામાં આવેલ કે, ઓરાણ ગામમાં એક અજાણી સ્ત્રી ફરે છે, જે માનસિક રીતે અસ્વસ્થ જણાય છે, તો તેને અહીયાથી પોલીસ વાન મોકલી લઇ જવા વિનંતી છે. આ મળેલ માહિતી સંદર્ભે પી.એસ.ઓ.શ્રી ભરતભાઇ સોમાભાઇ બ.નં. ૩૮૦ દ્વારા મજરા બીટ હેડ.કોન્સ. માનસિહ મનવંતસિહ બ.નં. ૧૦૦૧ તથા મહિલા હેડ.કોન્સ. શૈલાબેન બેન્જામીન બ.નં.૪૩૪ ને ઓરાણ ગામે સરકારી વાહન સાથે પ્રાથમિક માહિતીની ખરાઇ તથા જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપેલ.
મજરા બીટ હેડ કોન્સ. બ.નં. ૧૦૦૧ તથા મહીલા હેડ. કોન્સ. બ.નં.૪૩૪ ઓરાણ ગામેથી એક અસ્થિર મગજની અજાણી મહિલા, ઉ.વ. આશરે ૩૦ થી ૩૫ ની પોલીસ સ્ટેશને લઇ આવેલ, જેની ધીરજપૂર્વક સહાનુંભૂતિ દર્શાવી પુછપરછ કરેલ. આ અસ્થિર મગજની મહિલા પોતાના વિશે કોઇપણ માહિતી આપી શકવા સ્વસ્થ ન હોય, અ.હેડ.કોન્સ. ભગવાનભાઇ નાથાભાઇ બ.નં.૯૮૨ તથા મહિલા હેડ કોન્સ.બ.નં.૪૩૪ દ્વરા તેને જમવાનું આપી, તેને અનુકુળ વાતાવરણ બનાવી, પુછપરછ કરતાં પ્રથમ તુટક તુટક શબ્દોમાં તેણે પોતાનું નામ રમીલાબેન જણાવેલ. ત્યારબાદ આ માનસીક રીતે અસ્વસ્થ મહિલાને વિશ્વાસમાં લઇ તેના ઘર પરીવારના સભ્યો વિશે પુછપરછ કરતાં ધીરે ધીરે તેણે તેણીના પતિનું નામ બળદેવભાઇ તથા સાસરીનું સરનામુ નવી ધરી, ગોધરા એમ જણાવેલ.
આ રમીલાબેન દ્વારા જણાવવામાં આવેલ સરનામાની ખરાઇ કરવા સારૂ પ્રથમ પંચમહાલ (ગોધરા) પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવેલ. અને નવી ધરી ગામ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હોવાથી ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી, ધરી ગામના સરપંચનો મોબાઇલ ફોન મેળવી રમીલાબનેના પરીવારના સભ્યોની તપાસ કરતા બળવંતભાઇની પત્ની રમીલાબેન છેલ્લા એકાદ વર્ષથી ગુમ થયેલ છે, તેવી હકીકત જાણવા મળેલ. તેમજ અજાણી સ્ત્રી રમીલાબેનના પતિ બળવંતભાઇ ભલાભાઇ બારીયા (ઠાકોર) રહે. નવી ધરી તા. ગોધરા જી. પંચમહાલ મો.નં. ૭૦૯૬૧૬૫૫૭૪ ની સાથે વાત કરતા તા.૨/૦૩/૨૦૧૫ ના રોજ બળવંતભાઇએ પ્રાંતિજ પોલીસ સ્ટેશને આવી પોતાની પત્ની રમીલાબેનને ઓળખી બતાવતા જણાવેલ કે, આશરે ચૌદેક મહીનાથી રમીલા ઘરેથી માનસિક અસ્થિરતાને કારણે નીકળી ગયેલ. જેથી સગા સબંધીઓમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં શોધખોળમાં હતા અને તા.૧/૩/૧૫ ના રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી ફોન આવતા અને ફોનમાં મારી પત્ની પ્રાંતિજ પોલીસને મળી આવેલ છે. તેવુ જાણવા મળતા આજરોજ હું તથા મારો દિકરો પિન્ટુ બંને જણા અત્રે પ્રાંતિજ પોલીસ સ્ટેશન આવેલ છીએ, બળવંતભાઇ ભલાભાઇ બારીયા (ઠાકોર) એ તેમની પત્નીની ઓળખ માટે તેનુ ચુંટણી કાર્ડ, તથા રેશન કાર્ડની નકલ રજુ કરેલ. આ માનસિક અસ્થિર મહિલા રમીલાબેનના પતિએ જણાવેલ કે, મારે કે મારી પત્નીને કોઇ ઝઘડો તકરાર ન હતી. પરંતુ મારી પત્નીને છેલ્લા બારેક વર્ષથી માનસિક બિમારી હોય જેથી વડોદરા માનસિક આરોગ્ય હોસ્પિટલમાં દવા ચાલુ હતી, તે દરમ્યાન મારી પત્ની રમીલા ઘરેથી નીકળી ગયેલ. આમ, રમીલાબેનની ઓળખ થતા તેણીના પતિ બળવંતભાઇને કબ્જો સોંપેલ છે.અને ભવિષ્યમાં કાળજી રાખવાની સમજ કરવામાં આવેલ. જે સારી કામગીરી કરેલ છે.
|