|
સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના પટેલ જયોતિ પંકજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુખ્ય મથક હિંમતનગર સાબરકાંઠા નાઓ ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૨૨/૧૨/૨૦૧૪ થી તા.૨૮/૧૨/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.
તા.૧૦/૦૨/૨૦૧૪ ના રોજ પોશીના પો.સ્ટે. ખાતે કલાક-૧૧/૦૦ થી કલાક-૧૪/૦૦ સુધીમાં અમારા અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા જીલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતરગત લોકદરબાર રાખવામાં આવેલ જેમાં પોશીના વિસ્તાર ની આદીવાસી પ્રજામાં રહેલ અશિક્ષણ તથા વ્યશન તથા કુરીવાજોનું પ્રમાણ વધુ હોવાથી તે વિશે ચર્ચાઓ કરવામાં આવેલ આ ઉપરાંત આ લોકદરબારમાં મુખ્ય ચડોતરા પ્રથા તથા કુરીવાજો ઉપર સ્થાનીક આગેવાનો તથા આ વિસ્તાનાં શિક્ષિત યુવાનો દ્વારા ચડોતરા પ્રથા અટકાવવાનાં મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવેલ જેમાં ચડોતરા થી થતા નુકશાન તથા ચડોતરૂ બંધ કરી કાયદાકીય રીતે પ્રશ્રનોનાં નિકાલ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ.અને લોકોમાં નશાબંધી પ્રત્યે જાગ્રુતિ આવે માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.તથા ચડોતરા પ્રથા બંધ કરવા માટે પણ ઉપસ્થિત રહેલ માણસોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી તેમજ સ્થાનીક ગામડાઓમાં કમીટીઓની રચના કરવામાં આવેલ જેમાં એક અધ્યક્ષ અને પાંચ સભ્યો એ રીતે કમીટીની રચના કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં પોશીના તાલુકા પંચાયત પ્રમુખશ્રી લુકેશભાઇ નાંણાભાઇ ગમાર તથા ઉપપ્રમુખશ્રી કલ્પેશભાઇ રમેશભાઇ બુંબડીયા તથા તાલુકા પંચાયત નાં સદસ્યશ્રીઓ તથા પોશીના તાલુકા . વિસ્તાર નાં સરપંચશ્રીઓ તથા ગ્રામપંચાયતનાં સભ્યશ્રીઓ તથા અલગ-અલગ ગામોનાં મુખીઓ તથા પોશીના વિસ્તારનાં ગ્રામજનો કુલ આઠસો થી એક હજારની સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમમાં આગેવાનોએ પ્રાસંગીક માર્ગદર્શન આપેલ લોકદરબાર કાર્યક્રમ સફળ રીતે પુર્ણ થયેલ છે.જે સારી કામગીરી કરેલ છે.
|
|