|
સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના એ.ડીવી. પો.સ્ટેશના પો.સબ.ઇન્સ.શ્રી એસ.એન.ગોહીલ .હિંમતનગર નાઓ ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૨૬/૦૧/૨૦૧૫ થી તા.૦૧/૦૨/૨૦૧૫ સુધી ની વિગત નીચે મુજબ છે.
અત્રેની કચેરીના એફટીપી નં.૧૭૮/૧૫ તા.૨૨/૧/૨૦૧૫ અન્વયે જાહેર જગાએ તથા ધાર્મીક સ્થળોએ તથા બસસ્ટેન્ડ ઉપર રખડતા ભટકતા તેમજ ભીખ માગતા અને શેલ્ટરહોમ તથા ચીલ્ડ્રનહોમમાં રહેતા બાળકોને શોધી તેમના વાલીવારસોને સોંપવા લગત ઓપરેશન સ્માઇલ નું આયોજન કરવામાં આવેલ જે ઓપરેશન સ્માઇલ અન્વયે પોસ્ટે વિસ્તારમાં આવેલ જાહેર જગાએ તથા ધાર્મીક સ્થળોએ તથા બસસ્ટેન્ડ ઉપર રખડતા ભટકતા તેમજ ભીખ માગતા બાળકોને શોધવા માટે રોજેરોજ ટીમના માણસો સાથે પેટ્રોલીંગ કરવામાં આવેલ અને આ કામગીરી દરમ્યાન મોતીપુરા બ્રિજ નીચે તથા મોતીપુરા ખાતે અમુક બાળકો મળી આવેલ પરંતું આ બાળકોના માતાપિતા આજુબાજુમાં રહેતા હોઇ તેઓને સોંપી દેવામાં આવેલ અને આ બાબતે વધુ શોધખોળ કરતાં તા.૩૧/૧/૨૦૧૫ ના રોજ મોતીપુરા ખાતેથી એક બાળક મળી આવેલ અને તેને પુછપરછ કરતાં પોતાની મા સાથે આવેલ હતો અને પોતાની મા થી વિખુટો પડી ગયેલાનું અને પોતાનું નામ લાલો ઉ.વ.૬ નો હોવાનું જણાવેલ અને તેની મા ની સહકારીજીન તથા કોલેજ રોડ તથા બાયપાસ રોડ ઉપર શોધખોળ કરતાં તેની મા મળી આવતાં આ બાળક તેની મા ને સોંપવામા આવેલ તેમજ તા.૩૧/૧/૨૦૧૫ ની રાતના અમો ટીમના માણસો સાથે આવા બાળકો અંગે તપાસમાં હતા દરમ્યાન હિંમતનગર સહકારીજીનથી આગળ સર્વીસ રોડ ઉ૫ર કાંકણોલ નજીક આવેલ સ્વામીનારાયણ મંદીર નજીકથી એક બાળક મળી આવેલ જેની પુછપરછ કરતાં અજય સ/ઓ રણજીતસીંહ તખતસીંહ રે.હરીપુરા તા.ઇડર હાલ રહે.બોલુન્દ્ર તા.પોશીના વાળો હોવાનું અને પોતે હોસ્ટેલમાંથી ઘરે જવા નીકળેલ હોવાનું અને ભુલો પડેલ હોવાનું જણાવતાં મળી આવેલ બાળકની પુછપરછ કરતાં પોતે પોતાના ઘરે જવા ઇચ્છે છે અને ભુલો પડી ગયેલ હોઇ આ બાળકને પોસ્ટે લાવી તેના વાલીવારસોને ફોનથી જાણ કરતાં આ બાળકના પિતા રણજીતસીંહ તખતસીંહ રે.હરીપુરા તા.ઇડરનાઓ પોસ્ટે આવતાં આ બાળક પોતાનો પુત્ર હોવાનું અને પોશીના હોસ્ટેલથી ઘરે આવતા દરમ્યાન ગુમ થયેલાનું જણાવતાં બાળકનો કબજો તેના પિતાને સોંપવામાં આવેલ. આમ ઓપરેશન સ્માઇલની કામગીરી દરમ્યાન બે બાળકોને શોધી કાઢવામાં આવેલ છે.
|
|