|
સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક હિંમતનગર પટેલ જયોતિ પંકજ અને જીલ્લાના પોલીસ સ્ટેશનો ના અધિકારીઓ ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૧૫/૦૯/૨૦૧૪ થી તા.૨૧/૦૯/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.
:- (૧) વડાલી પોલીસ સ્ટેશન જા.જોગ નંબર ૩૩/૨૦૧૪ સ્ટે.ડા. એ.નંબર ૧૦/૧૪ કલાક ૧૦/૧૫ તા.૧૬/૦૯/૨૦૧૪ ના કામે ગુમ થનાર જીનેદીન સલીમભાઇ મનસુરી ઉ.વ.૧૬ રહે વડાલી પ્રાથમીક શાળા ની સામે તા.વડાલી તથા રમીઝભાઇ રજાકભાઇ મનસુરી ઉ.વ-૧૬ રહે-અમનપાર્ક સો.સા ધરોઇ રોડ તા-વડાલી તથા વસીમભાઇ અસ્લમભાઇ મનસુરી ઉ.વ-૧૬ રહે-ગુલશન પાર્ક સો.સા વડાલી નાઓ તા-૧૫/૦૯/૨૦૧૪ ના રોજ કલાક-૧૬/૩૦ વાગ્યા ના સુમારે આ ત્રણે મીત્રો કોઇપણ કારણ સર ગુમ થયેલ હોઇ જેઓ તા-૧૭/૦૯/૨૦૧૪ ના રોજ મહેસાણા મુકામેથી મળી આવેલ હોય અને તેમનાં નીવેદનો લેતાં તેઓ ઘોરણ-૧૧ માં શ્રી શેઠ સી.જે હાઇસ્કુલમાં અભ્યાસ કરતા હતા અને ટીચરે પરીક્ષા નજીક આવતી હોય ગૃહકાર્ય વઘુ કરવા અને પરીક્ષાની તૈયારીમાં રહેવા જણાવતાં અને ગુમ થનારને આવી કોઇ તૈયારી ન કરેલ હોય પરીક્ષાના ડરનાં કારણે તેમજ પોતાના વાલી તેમજ શીક્ષક ઠપકો કરશે તેમ મનો મન માની ઘર છોડી જતા રહેલ હતા આ સીવાય બીજુ કોઇ કરણ નથી જે ત્રણે બાળકોને સોધીકાઢી સારી કામગીરી કરેલ છે.
(૨) તા.૧૫/૦૯/૨૦૧૪ નારોજ સુરક્ષા સેતું સોસાયટી ધ્વારા સુદ્રાસણ તા.ઇડર ના પ્રાથમિકશાળાના વિધાર્થીઓને પોલીસ હેડ કવાર્ટસ હિંમતનગર લાવીને પોલીસ હેડકવાર્ટસમાં શસ્ત્રગાર ની માહીતી આપવામાં આવેલ અને માઉન્ટેડશાખામાં ઘોડાઓની માહીતી આપવામાં આવેલ હતી. અને પોલીસ કામગીરી વિશેની માહીતી અને કાયદાકિય જ્ઞાન આપવામાં આવેલ હતું જે સા.મે નાઓ ને વિદિત થાય.
( બી.એલ.દેસાઇ)
ઇ. નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક હિંમતનગર સા.કાં.
|
|