|
સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક હિંમતનગર પટેલ જયોતિ પંકજ અને જીલ્લાના પોલીસ સ્ટેશનોના અધિકારીઓ ધ્વારા કરેલ સારી કામગીરી.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૦૧/૦૯/૨૦૧૪ થી તા.૦૭/૦૯/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.
(૧) સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીલ્લા વહિવટી તંત્ર અને સુરક્ષા સેતુ સોસાયટી ધ્વારા માં અંબાજી ની આરાધના માટે જઇ રહેલા પદયાત્રીઓ માટે અધતન સુવિધાઓથી સજજ વિસામો ગૃહ રાજયમંત્રી હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી રજનીકાન્ત પટેલ સાહેબે જીલ્લા વહીવટી તંત્ર અને સુરક્ષા સેતુ ધ્વારા આદરેલા આ ભવ્ય સેવાના યજ્ઞને બિરદાવતા જણાવ્યું હતુંકે ભકતિ.શકતિ અને સેવાનો ત્રિવેણી સંગમ થકી મા અંબાના ધામમાં જતા પદયાત્રીઓને વહીવટીતંત્ર અને પોલીસ ધ્વારા સેવા માટે જઇ રહેલ સ્વછતા.આરોગ્ય અને જમવા સહિતની વિસામા ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
જીલ્લા પોલીસ વડાશ્રીએ જણાવ્યું હતુ કે સુરક્ષા સેતુ ધ્વારા ખુલ્લો મુકવામાં આવેલ વિસામામાં સવાર સાંજ ચા-નાસ્તો અને જમવાની વ્યવસ્થા સહિત મેડીકલ કેમ્પ અને પદયાત્રીઓ માટે આરામની સુવિધાઉપલબ્ધ છે. પદયાત્રીઓની સુરક્ષા માટે પોલીસબળ ખડે પગે સેવા બજાવશે વાકેફ કરવામા આવેલ અને તમામ પો.સ્ટે. વિસ્તારમાં પદ યાત્રીઓનો બંધોબસ્ત જાળવવામાં આવેલ છે.
|
|