|
પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેની ફરજ નીચે મુજબ બજાવે છે:
- જિલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીને કેટેગરી મુજબની સુરક્ષાવ્યવસ્થા જાળવવામાં આવે છે.
- જિલ્લામાં કોમ્યુનલ બનાવ તેમજ વર્ગ -વિગ્રહના બનાવો દરમ્યાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરાવવામાં આવે છે.
- જિલ્લામાં ધાર્મિક તહેવારો તેમ જ મેળા ઉત્સવો સંબંધે અગાઉથી આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લામાં ધરણાં રેલી આત્મવિલોપન અને હડતાળ જેવા કાર્યક્રમો દરમ્યાન અગમચેતીના ભાગ રૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે જયારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસઆરપી./હોમગાર્ડ અને જીઆરડી.ની મદદ લેવામાં આવે છે.
|
|