|
મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ (સને-૧૯૫૧નો એક્ટ નં-૨૨ માંની કલમ-૩૩ની પેટા કલમ-(૧)ના ખંડ (બી)(સી) અન્વયે
નં.પીઓએલ/જા.નામું/બી.પી.એક્ટ/હિંમતનગર/વશી-૩૪/૨૦૧૦
મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ (સને-૧૯૫૧ ના મુંબઇના ૨૨ મા)ની કલમ-૩૩ ની પેટા કલમ-૧ ના ખંડ"(બી),(સી) અન્વયે જાહેરનામાનો મુસદ્દો સદરહું કલમ-૩૩ ની પેટા કલમ-(૬)થી ફરમાવ્યા પ્રમાણે તેનાથી અસર થવાની હોય તેવી સઘળી વ્યક્તિઓની જાણ સારૂ પ્રસિધ્ધ કરવામાં આવે છે.અને આથી નોટીસ આપવામાં આવે છે કે આ જાહેરનામું સરકારી ગેજેટમાં પ્રસિધ્ધ થયાની તારીખથી એક મહિના પછી જિલ્લા મેજીસ્ટ્રેટ,સાબરકાંઠા સદરહું મુસદ્દો વિચારણામાં લેશે.
સદરહું મુસદ્દાના સબંધમાં જિલ્લા મેજીસ્ટ્રેટ,સાબરકાંઠાને ઉપરોક્ત મુદત પુરી થતાં પહેલાં કોઇ વાંધો કે સુચનો મળશે તેને વિચારણામાં લેશે.
જાહેરનામાનો મુસદ્દો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં મોતીપુરાથી મહેતાપુરા એન.જી.સર્કલ સુધીનો રોડ આવેલ છે. આ માર્ગ ઉપર અગત્યના સ્થળો જેવા કે રેલ્વે ઓવરબ્રીજ,બસ સ્ટેન્ડ,સીવીલ હોસ્પીટલ,જનરલ પોસ્ટ ઓફિસ તેમજ જિલ્લાની મુખ્ય કચેરીઓ આવેલ છે. આ ઉપરાંત બસ
સ્ટેન્ડની નજીકમાં આરોગ્ય નગરમાં મોટા ભાગની પ્રાઇવેટ હોસ્પીટલો આવેલ છે. હિંમતનગર શહેર જિલ્લાનું મુખ્ય મથક હોઇ ગામડાઓમાંથી પ્રજા પોતાના કામ અર્થે પોતાના નાના વ્હીકલો લઇ આવે છે.એજ રીતે બજારમાં પણ ખેડુતો પોતાની ઉપજોના વેચાણ માટે આવે છે.અને પોતાની જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદ કરવા પણ આવે છે. તેમજ મોટાભાગના દર્દીઓ અને તેમની સાથે સગા સબંધીઓ દવાખાનાઓમાં આવતા જતા હોય છે.જેથી આ રોડ ઉપર ટ્રાફિકનું ખુબજ ભારણ રહેતુ હોઇ ટ્રાફિક જામના પ્રશ્નો પેદા થાય છે અને નાના મોટા વાહનોની અવર જવરના લીધે અકસ્માતના બનાવો બનવા પામે છે. આ રોડ ઉપર ઝડપી માનદ સેવા કરવામાં ખુબજ મુશ્કેલીઓ પડતી હોય છે.જેથી અમદાવાદ,શામળાજી,મોડાસા તરફથી વિજાપુર ,મહેસાણા,ઇડર અંબાજી તરફ જતા મોટા વાહનોને જવા માટે બાયપાસ રોડ ઉપલબ્ધ છે. જ્યારે વિજાપુર,મહેસાણા,ઇડર,અંબાજી તરફથી અમદાવાદ,શામળાજી,મોડાસા તરફ આવતાં મોટા વાહનોને જવા માટે બાયપાસ રોડ ઉપલબ્ધ છે. આ ભારે વાહનો ટ્રક,ટેન્કર,ટેમ્પા વિગેરે આ માર્ગ ઉપરથી પસાર થતા હોવાના લીધે ઉપરની મુશ્કેલીઓ નિવારવા સારૂ હિંમતનગર શહેરમાં મોતીપુરાથી મહેતાપુરા એન.જી.સર્કલ સુધીના રોડ પર રવિવાર સિવાયના દિવસોએ સવારના કલાક ૮-૦૦ થી સાંજના ૨૦-૦૦ કલાક દરમ્યાન મોટા ભારે વાહનો પ્રવેશવા ઉપર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી,સા.કાં.હિંમતનગરે તેઓના પત્ર નં.ટ્રાફિક/
જાહેરનામું/૩૦/૨૦૧૦ તા.૧.૨/૨૦૧૦ થી જણાવેલ છે.આ જાહેરનામા બાબતે તા.૨૦.૨.૨૦૧૦ ના રોજ મળેલ જિલ્લા ટ્રાફિક સલાહકાર સમિતિમાં ચર્ચા થયેલ છે.
વાસ્તે હું જયપ્રકાશ શિવહરે,આઇ.એ.એસ.જિલ્લ્લા મેજીસ્ટ્રેટ,સાબરકાંઠા જિલ્લો,હિંમતનગર સને-૧૯૫૧ મુંબઇ પોલીસ અધિનિયમની કલમ-૩૩ ની પેટા કલમ-૧ની બાબત(બી)અને (સી)
અન્વયે મળેલ સત્તાની રૂએ હિંમતનગર શહેરમાં મોતીપુરાથી મહેતાપુરા એન.જી.સર્કલ સુધીના રોડ પર રવિવાર સિવાયના દિવસોએ સવારના કલાક ૮-૦૦ થી સાંજના ૨૦-૦૦ કલાક દરમ્યાન મોટા ભારે વાહનો પ્રવેશવા ઉપર પ્રતિબંધ મુકવા ફરમાવું છું.
આ હુકમ સરકારી વાહનો તથા સરકારી કામે આવશ્યક ચીજ વસ્તુ વહન કરતા વાહનોને લાગુ પડશે નહિં.
આ હુકમ ગુજરાત સરકારના ગેજેટમાં પ્રસિધ્ધ થયાની તારીખથી અમલમાં આવશે.
આજ તા.૨૪મી ફેબ્રુઆરી -૨૦૧૦ના રોજ મારી સહી તથા સિક્કો કરી આપ્યો.
સ્થળ:-હિંમતનગર તારીખ:- ૨૪/૨/૨૦૧૦
જિલ્લા મેજીસ્ટ્રેટ
(જયપ્રકાશ શિવહરે)
સાબરકાંઠા,હિંમતનગર
|