સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના વિજયનગર પોલીસ સ્ટેશન આર.ડી.સગર પો.સબ.ઇન્સ.શ્રી ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ વિજયનગર પો..સ્ટે. આર.ડી.સગર પો.સબ.ઇન્સ.શ્રી એ ગુમ થયેલ વ્યકતિઓની તપાસ નિચે મુજબ કરેલ છે.
વિજયનગર પો.સ્ટે. જા.જોગ.૩૮/૨૦૧૦ તા.૧૨/૮/૨૦૧૦ ના કામે જાહેરાત આપનાર શ્રી બચુભાઇ કુબેરભાઇ કટારા રહે.ખેરવાડા તા.વિજયનગર નાઓની જાહેરાતના કામે તા.૫/૮/૨૦૧૦ના રોજ ક. ૧૨/૦૦ વાગ્યાના સુમારે ખેરવાડા ગામેથી તેમની પત્ની રીટા ઉર્ફે નર્મદા બચુભાઇ કુબેરભાઇ નિનામા ઘરેથી કોઇને કહ્યાવગર ચાલી ગયેલી . આ બનાવ સબંધે તાત્કાલીક તપાસ હાથ કરતાં ગુમ થનાર રીટા ઉર્ફે નર્મદા નિનામા જેતે વખતે રીટાબેન ડો/ઓ નાનજીભાઈ અઢેળાજી નિનામા રહે.ઈટાવડી તા.વિજયનગરનાઓની આજથી પોણા બે વર્ષ અગાઉ તેની માનસિક અસ્થિરતાના કારણે પોતાના પિયર ઈટાવડી તા.વિજયનગરથી ક્યાંક નીકળી ગયેલ અને રખડતી ભટકતી માનસિક બિમારીવાળી હાલતમાં તેમજ પોતે જે તે વખતે ગર્ભવતી હતી રીટાબેન જે તે વખતે ગુમ થયેલ તે બાબતે તેમના વાલી વારસોએ આજુ-બાજુ ગામોમાં સગાસબંધીઓના ત્યાં તેમજ મિત્ર વર્તુળમાં તેમજ જંગલ-પહાડી વિસ્તારમાં તપાસ કરતાં ક્યાંય મળી આવેલ નહી.
ત્યારબાદ આ રીટાબેન માનસિક અસ્થિરતાના કારણે ઈટાવડીથી હિંમતનગર ખાનગી વાહનમાં અને હિંમતનગરથી અમદાવાદ સુધી રેલ્વેમાં બેસી રખડતી-ભટકતી મેઘાલય રાજ્યના શિલોંગ ખાતે પહોંચી ગયેલ અને તા.૨૭/૭/૨૦૧૨ના રોજ શિલોંગ સિટી પોલીસ સ્ટેશનની હદના જાલુપુર વિસ્તારના બજારમાં રખડતી ભટકતી માનસિક બિમારીવાળી તેમજ ગર્ભવતી હાલતમાં મળી આવેલ તેણીને જે તે વખતે સ્થાનિક પોલીસે મેડીકલ તપાસણી સારુ શિલોંગ સિવીલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ જ્યાં તેણીની માનસિક રીતે બિમાર જણાઈ આવતાં તેણીનીને મિમ્હાન્સ પાસ્ટર હિલ્સ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોલોજી સાયન્સ હોસ્પિટલ શિલોંગ મેઘાલય ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ જ્યાં તેણીનીએ સારવાર દરમ્યાન ગણેશદાસ હોસ્પિટલમાં તા.૨૭/૧૧/૨૦૧૨ના રોજ એક પુરુષ બાળકને જન્મ આપેલ ત્યારબાદ તેણીનીને મિમ્હાન્સ પાસ્ટર હિલ્સ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોલોજી સાયન્સ હોસ્પિટલ શિલોંગ મેઘાલય ખાતે સારવાર ચાલુ રાખેલ અને બાળકના લાલન પાલન માટે ગણેશદાસ હોસ્પિટલમાં રાખવામાં આવેલ અને તેણીનીની સારવાર દરમ્યાન આ રીટાબેનની તબિયતમાં સુધારો થતાં અને વ્યવસ્થિત ભાનામાં આવતાં તેના નામ સરનમાની પુછ-પરછ કરતાં તેના વતન તથા તેના વાલી વારસોની સાચી માહિતી આપેલ જે આધારે શિલોંગ સિટી પોલીસ અધિક્ષકશ્રીએ નામ-સરનામાની ખરાઈ કરવાતાં આ રીટાબેન ખરેખર ઈટાવડી ગામનાં અને વિજયનગર તાલુકાની તથા સાબરકાંઠા જીલ્લા ગુજરાત રાજ્યની હોવાનુ ફલિત થયેલ અને આ રીટાબેનના કબ્જો મેળવવા સારુ તેણીના વાલીવારસોને મિમ્હાન્સ પાસ્ટર હિલ્સ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોલોજી સાયન્સ હોસ્પિટલ શિલોંગ મેઘાલયના સત્તાવાળાઓએ બારોબર પત્ર લખી જાણ કરેલ પરંતુ આ રીટાબેનના પિતા મરણ ગયેલ હોવાથી તેણીની માતા વિધવા થતાં અને તેમની માતા લક્ષ્મીબેન વા/ઓ નાનજીભાઈ અઢેળાજી નિનામા રહે.ઈટાવડી તા.વિજયનગર તથા તેમના પતિ બચુભાઈ કુબેરજી કટારા રહે.ખેરવાડા તા.વિજયનગરનાઓની આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી આર્થિક સંકડામણના કારણે કબ્જો મેળવી શકેલ નહી અને સરકારશ્રી દ્વારા જો કોઈ આર્થિક મદદ મળે તો કબ્જો મેળવી શકાય તેમ જણાવતાં હોઈ જેથી આ બાબતે પોલીસ અધિક્ષક સા.શ્રી સા.કાં. તથા ના.પોલીસ અધિક્ષક શ્રી મુખ્યમથક હિંમતનગરનાઓએ સંયુક્ત ઉપક્રમે વિચાર-વિમર્શ કરી સુરક્ષાસેતુમાં ખર્ચો પાડી આ રીટાબેનનો કબ્જો મેળવવા માટે સંમતિ મંજુરી આપેલી.
ત્યારબાદ આ રીટાબેનનો મિમ્હાન્સ પાસ્ટર હિલ્સ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોલોજી સાયન્સ હોસ્પિટલ શિલોંગ મેઘાલય ખાતેથી કબ્જો મેળવવા માટે વિજયનગર પો.સ્ટે.થી ૧ એ.એસ.આઈ. ૧ પો.કો.ની મદદથી રીટાબેનનો કબ્જો મેળવવા તેમના વાલી વારસોને સાથે લઈ જઈ ઓળખ પરેડ કરાવી રીટાબેનની માતા લક્ષ્મીબેન વા/ઓ નાનજીભાઈ અઢેળાજી નિનામા રહે.ઈટાવડી તા.વિજયનગર તથા તેમના પતિ બચુભાઈ કુબેરજી કટારા રહે.ખેરવાડા તા.વિજયનગરનાઓ રીટાબેનને પરત લાવવા માટે સુરક્ષાસેતુમાં રોકડ ખર્ચની જોગવાઈ કરાતાં વિજયનગર પો.સ્ટે. હસ્તકના ચિઠોડા આ.પો.ના એ.એસ.આઈ. નવીનભાઈ જાલજીભાઈ જોષીયારા બ.નં.૧૨૫૮ તથા પો.કો. અશ્વિનકુમાર બાબુલાલ તબિયાડ બ.નં.૦૩૮૧નાઓ રીટાબેનની માતા લક્ષ્મીબેન વા/ઓ નાનજીભાઈ અઢેળાજી નિનામા રહે.ઈટાવડી તા.વિજયનગર તથા તેમના પતિ બચુભાઈ કુબેરજી કટારા રહે.ખેરવાડા તા.વિજયનગરનાઓને મેઘાલય રાજ્યના શિલોંગ ખાતે સાથે લઈ જઈ શિલોંગ સિટી પોલીસ અધિક્ષકશ્રીનો સંપર્ક કરી ગુમથનાર રીટાબેન ડો/ઓ નાનજીભાઈ અઢેળાજી નિનામા રહે.ઈટાવડી તા.વિજયનગરનાનીનો રીટાબેનનો મિમ્હાન્સ પાસ્ટર હિલ્સ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોલોજી સાયન્સ હોસ્પિટલ શિલોંગ મેઘાલય ખાતેથી તેમના બાબા હેપ્પી ઉ.વ. ૧૧ માસનો કબ્જો તા.૨૩/૧૦/૨૦૧૩ના રોજ સ્વચ્છ અને તંદુરસ્ત હાલતમાં મેળવી લઈ રેલ્વે તેમજ બસ મારફતે મુસાફરી કરી તેમના વતન પુરતા રક્ષણ સાથે પહોંચાડવામાં આવેલ છે.અને ગુમથાનાર રીટાબેન ડો/ઓ નાનજીભાઈ અઢેળાજી નિનામા તથા તેમના દિકરા હેપ્પીની શારિરીક યોગ્યતાની તબીબી તપાસણી કરી સુપ્રત કરેલ છે.
આમ આ કામે ગુમથનાર/ભોગબનનાર રીટા ઉર્ફે નર્મદા બચુભાઇ કુબેરભાઇ નિનામા ઉ.વ.૩૨ ને તેના પતિને સોંપવામાં આવેલ હોઇ પોલીસ તરફથી આ કામગીરીથી ફરીયાદી સાહેદોને સંતોષ વ્યક્ત કરેલ હતો.
(૨) સાબરકાંઠા જીલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન એમ.ડી.ચંદાવાડીયા અને એસ.જે.મોદી સર્કલ પો.ઈન્સ.ભિલોડા .શ્રી ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
તા.૨૭/૧૦/૨૦૧૩ ના કલાક ૨૩/૩૦ વાગે મોજે આર.ટી.ઓ.ચેકપોસ્ટ શામળાજી સામે ને.હા.નંબર-૮ ઉપર બાતમી આધારે શામળાજી પોલીસ સ્ટેશન શ્રીએમ.ડી.ચંદાવાડીયા અને શ્રીએસ.જે.મોદી સર્કલ પો.ઈન્સ.ભિલોડા .તથા એ.એસ.આઇ.વીરજીભાઇ કમજીભાઇ બ.નં.૧૨૨૦ તથા આપો.કો.ચંન્દ્રાકાન્તભાઇ ભીખાભાઇ બ.નં.૬૮૪ તથા આ.પો.કો. પ્રવિણસિંહ રમણસિંહ બ.નં.૭૮૬ તથા આ.પો.કો.અશોકભાઇ અમૃતભાઇ બ.નં.૧૨૫૪ તથા.અ.પો.કો.રવિન્દ્રસિંહ જગતસિંહ બ.નં.૨૮૪ તથા અ.હેડ કોન્સ.જયેશભાઇ દલાભાઇ બ.નં.૧૧૯૧ નાઓએ શામળાજી પો.સ્ટેશન સે.ગુ.ર.નં.-૩૨૬૭/૨૦૧૩ ધી આર્મસ એકટ ૧૯૫૯ ની કલમ ૨૫(૧) (૧-એ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગેરકાયદેસર પિસ્તોલ મેગેઝીન સહીત નંગ-૧૨ કિ.રૂ.૧.૨૦.૦૦૦/- તથા અન્ય મેગઝીન નંગ- ૧૧ કિ.રૂ.૩૩.૦૦૦/- નો જથ્થો ઇનોવા ગાડીમાં ગે.કા. હેરાફેરી કરતાં મોબાઇલ ફોન નંગ- ૧૫ કિ.રૂ.૩૬.૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૧.૯૪.૦૦૦/- નો મુદામાલ પકડી કબ્જે કરી હથિયારધારા અંગેનો કેસ શોધી કાઢી આરોપીઓ તાત્કાલીક પકડી લઇ પ્રશંસાપાત્ર સારી કામગીરી કરેલ છે.
(પટેલ જયોતિ પંકજ)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક હિંમતનગર સા.કાં.
|