|
સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના પ્રો પો.સ.ઇ.શ્રી પી.જી.ચાવડા એ.ડીવી. પોલીસ સ્ટેશન હિંમતનગર ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
(૧) તા.૧૮/૩/૧૫ના રોજ પ્રો.પોસ.ઇશ્રી પી.જી.ચાવડા તથા પોકો.પ્રદીપકુમાર સુરેશભાઇ તથા પોકો ચંદ્રકાન્ત મથુરભાઇ બનં.૯૦૭ નાઓ મોતીપુરા સર્કલ ખાતે એક નવ વરસનો બાળક મળી આવતાં પોસ્ટે લઇ આવી પૃછપરછ કરતાં પોતાનું નામ ભાવેશકુમાર સ/ઓ ચંદુભાઇ નાથાભાઇ ડાભી રે.અમદાવાદ કુબેરનગર હાલ રહે.જીવનજયોત આશ્રમશાળા આગીયોલ તા.હિંમતનગર ઉ.વ.૯ નો હોવાનું અને આગીયોલ આશ્રમ શાળામાંથી નીકળી ગયેલ અને ગુમ થયેલાનું જણાવતાં આગીયોલ ખાતે જઇ આશ્રમશાળામાં સંપર્ક કરતાં આ બાળક ત્યાંથી બપોરના કોઇને કહયા વગર પોતાની જાતે નીકળી ગયેલ હોઇ આ બાબતે આશ્રમશાળાના આચાર્યશ્રીને પો.સ્ટે બોલાવી આ બાળકનો કબજો સોંપવામાં આવેલ જે સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨) તા. ૧૪/૦૩/૨૦૧૫ નારોજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુખ્ય મથક હિંમતનગર પટેલ જયોતિ પંકજ અને વડાલી પો. સ્ટેશન પોલીસ સબ. ઇન્સ.શ્રી કે.આર.પરમાર નાઓએ વડાલી ટાઉન વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝનોની મુલાકાત લીધેલ અને તેઓની સાથે વાતચીત કરેલ અને ખબરઅંતર પુછી સાત્વંતર આપેલ ત્યારે તેઓએ હાલમાં અમારે કોઇ પ્રશ્ન નથી. અને એકંદરે શાન્તી છે તેવું જણાવેલ જે સીનીયર સીટીજનોના નામ નીચે મુજબના છે..(૧) અસ્મીનાબેન અમૃતલાલ મહેતા (૨)સરજુબેન મહેન્દ્રકુમાર પંડયા.(૩) ભીખીબેન હસમુખકુમાર સુથાર (૪) પદ્રમાબેન નારાયણભાઇ પંચાલ (૫) દિલીપકુમાર શંકરલાલ રાવળ તમામ રહે.વડાલી તા.વડાલી જી.સાબરકાંઠા. જે સારી કામગીરી કરેલ છે.
|
|