પોલીસ અધિક્ષક, સાબરકાંઠા |
http://www.spsabarkantha.gujarat.gov.in |
વિષ્ણુભગવાનનું મંદિર શામળાજી |
6/8/2025 12:50:02 AM |
|
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની ઈશાન દિશામાં મેશ્વો નદીના કાંઠે ડુંગરોની વનલીલાથી ભરપુર સૃષ્ટિ સૌદર્યતાથી રચેલા ચોકમાં વસેલી આ પવિત્ર દેવ ભુમિ શામળાજીના નામે ઓળખાય છે. આ પવિત્ર યાત્રાધામમાં શ્રી દેવગદાધર શામળાજી ભગવાનની સાથે શંકરભગવાન અને સુમંગલા દેવીના મથકો છે.
પુરાતત્વ ખાતાની દષ્ટીએ આ મંદિર કયારે અને કોણે બંધાવ્યું તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી પરંતુ પંદરસો વર્ષ પહેલા આ નગરી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતનુ ગરવું તીર્થધામ એટલે શામળાજી આ પવિત્ર સ્થળે પ્રાચીનકાળની હરિચંન્દપુરી નગરી શોભાતી હતી.મેવાડની પર્વમાળા અરવલ્લીના ડુંગરોમાંથી તોફાની ઘેટા જેવી મેશ્વોના કિનારા ઉપર નાગ ધરો આવેલો છે.તેના તટ ઉપર બેસી સ્નાન કરવાથી વાટવળગણ અને ભૂતપ્રેતની અસરમાંથી માણસ મુકત થાય છે.નારાયણબલિ સંતાન પ્રાપ્તિ માટે પયોવ્રત તથા પુત્રોષ્ટિ યજ્ઞ માટે આ તિર્થભૂમિ મહત્વની છે.હાલમાં મેશ્વો નદીને નાથવા સરકારશ્રીએ નાગધરાની જગા ઉપર ડેમ બાંઘ્યો છે.આ મેશ્વો સરોવરમાંથી ખેડા જિલ્લાને અને સાબરકાંઠા જિલ્લાને સિચાઈ માટે પાણી આપવામાં આવે છે.
આ શામળાજી યાત્રાધામ એ દેવોની દેવભૂમિ છે.યાત્રિક અહિંયા કારતીક પૂનમ દેવોની દિપોત્સવી મહોત્સવ મનાવવામાં આવે છે.ભાવિકોને પ્રસાદ કણુંકો બંટાય છે.દર પૂનમે હજારો યાત્રિકો ની અવર જવર રહે છે.માહી પૂનમે અને શ્રાવણી પૂનમે સારો મેળો ભરાય છે.કારતકી પુનમનો મેળો મોટા અને ભવ્ય હોય છે.
યાત્રી માટે પોલીસ વ્યવસ્થા :
અહીં વિષ્ણુ મંદિર ખાતે ૧+૩ ની હથીયારી પોલીસ ગાર્ડ સેવા પર છે. આ ઉપરાંત યાત્રીઓની સેવા માં બે ટુરિઝમ પોલીસ અને પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ઉપલબ્ધ રહેશે.
સંપર્ક :
|
શામળાજી પોલીસ સ્ટેશન
|
૦ર૭૭૧ - ર૪૦૧રપ
|
જિલ્લા પોલીસ નિયંત્રણ કક્ષ
|
૦ર૭૭ર - ર૪૧૩૦૩,૧૦૦
|
ફેકસ
|
૦ર૭૭ર - ર૪૭૯૩૩
|
|
|