પોલીસ અધિક્ષક, સાબરકાંઠા |
http://www.spsabarkantha.gujarat.gov.in |
બંદોબસ્ત |
6/21/2025 4:14:26 AM |
|
પોલીસ બંદોબસ્ત
પોલીસ બંદોબસ્તના ચાર્જીસ વસૂલ લઈ નીચે જણાવેલ કેસોમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે:
(૧) સામાન્ય સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાના હિતમાં પો.અધિ.શ્રી કે ઉપરી અધિ.શ્રીને જરૂર જણાય ત્યારે કોઈ પણ સંસ્થા કે પક્ષકારને વિનામૂલ્યે પોલીસ બંદોબસ્ત/રક્ષણ ફાળવવામાં આવે છે. નબળા વર્ગોને રક્ષણ આપવું જરૂરી જણાતાંની સાથે તુરંત ફાળવવામાં આવે છે. અંગત અદાવત કે ઝઘડાની વિગત ઘ્યાન પર આવતાંની સાથે જરૂરી અટકાયતી પગલાં લેવામાં આવે છે. આમ છતાં કોઈ પક્ષકારની રક્ષણની માગણી હોય તો સંજોગો ઘ્યાન પર લઈ બંદોબસ્ત ચાર્જ વસૂલ કરી રક્ષણ આપી શકાય છે.આ માટે સંબંધિત પક્ષકારની અરજી આધારે પોલીસ અધીક્ષક સ્થાનિક પોલીસનો અભિપ્રાય લઈ નિર્ણય કરે છે.
(ર) સીમાચોરી અને ભેલાણ અટકાવવા સારુ જરૂરિયાત મુજબ પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે. પાકરક્ષણ માટે પોલીસ બંદોબસ્તમાં ઘોડેસવાર અને ઊંટ પોલીસ મૂકવામાં આવે છે.પરંતુ સીમા પેટ્રોલિંગમાં ઘોડેસવાર પોલીસ વધુ અસરકારક હોઈ કેટલાંક ગામોમાં તેની સીમાની રખેવાળી કરવાની સ્વૈચ્છિક વ્યવસ્થા માટે નાણાં ભરીને ઘોડેસવાર પોલીસ મૂકવામાં આવે છે. જો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં રોકાયા ઉપરાંત ઘોડેસવાર પોલીસ ઉપલબ્ધ હોય તો તે નાણાં વસૂલ લઈ ફાળવવામાં આવે છે. આ ફાળવણી સામાન્ય રીતે પૂરા મહિના માટે કરવામાં આવે છે. ઘોડાની ફાળવણી કરતી વખતે ઘોડાને રહેવાની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ થઈ શકે તેમ છે કે કેમ તે ચકાસવામાં આવે છે.
(૩) કોઈ પણ યુનિવર્સિર્ટી, માઘ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે. જેનાં નાણાં વસૂલ લેવામાં આવતાં નથી પરંતુ ચોક્કસ હેતુથી માગવામાં આવતા ગાર્ડનાં નાણાં વસૂલ લઈ આપવામાં આવે છે.
(૪)(અ) બેંક કે વેપારી દ્વારા મોટા પાયે નાણાંની હેરફેર માટે નિયત દરે નાણાં ચૂકવનારને હથિયારી રક્ષણ આપવામાં આવે છે.
(બ) ખાનગી સંસ્થા, બેંકો વગેરેને સલામતી માટે પોલીસ ગાર્ડ ફાળવવામાં આવે છે. આ સંબંધિત સંસ્થાઓ પાસેથી તેઓને ફાળવેલ પોલીસ અધિકારી/કર્મચારીનાં પગાર ભથ્થાની રકમની બમણી રકમ એડવાન્સમાં વસૂલ લેવામાં આવે છે.
(પ) બેંક કે નાણાકીય સંસ્થાના વસૂલાત અધિકારી દ્વારા દાવાની બાકી રકમ વસૂલાત કરવા સારુ પોલીસ બંદોબસ્તના ચાર્જીસ વસૂલ લઈ હેડક્વાર્ટર્સ અગર તો સ્થાનિક પોલીસસ્ટેશન તરફથી પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે.
(૬) થિયેટર, સિનેમાગૃહો, મનોરંજનના આવા સ્થળે ટ્રાફિક નિયમનની કામગીરી માટે ખાનગી વ્યક્તિ/સંસ્થા તરફથી બંદોબસ્ત જાળવવા માગણી થયેથી પોલીસ અધિકાર/કર્મચારીને જેટલી સંખ્યામાં ફાળવણી કરવામાં આવે તે દરજજાના પોલીસ અધિકાર/કર્મચારીનાં દૈનિક પગાર ભથ્થાં તરીકે ચૂકવવામાં આવતી પૂરી રકમ પોલીસ અધિકાર/કર્મચારીની સંખ્યાના પ્રમાણમાં ખાનગી વ્યક્તિ/સંસ્થા તરફથી પૂરેપૂરી વસૂલ કરવામાં આવે છે.
(૭) મિલકત અને જમીનના વિવાદ અનુસંધાને કોઈ પક્ષકાર દ્વારા સ્વરક્ષણ માટે પોલીસ માગવામાં આવે ત્યારે તેના કોર્ટ કેસ કે અન્ય અર્ધન્યાયિક સત્તા સમક્ષ ચાલતી કાર્યવાહીની વિગત ઘ્યાન પર લઈ સ્થાનિક પોલીસનો અમુક વ્યક્તિના રક્ષણ માટે પોલીસ પૂરી પાડવા અભિપ્રાય હોય તો મિલકતના કબજા બાબતે પોલીસ પક્ષકાર ન બને તે રીતે નાણાં ચુકવણીથી રક્ષણ આપી શકાય છે.આ પ્રકારનુ પોલીસરક્ષણ વ્યક્તિની સલામતિ માટે જ છે.અને કોર્ટના હુકમ વિના મિલકતના કબજા કરવા માટે જતી વખતે તે મળી શકે નહી તેમ સમજવું.આ સંબંધે કોર્ટમાં કોઈ વિવાદ ચાલુ હોય તો રક્ષણ આપતાં પહેલા જરૂર જણાય તો કાનૂની તજજ્ઞનો અભિપ્રાય પણ લેવામાં આવે છે.
|