પોલીસ અધિક્ષક, સાબરકાંઠા
http://www.spsabarkantha.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 5:33:43 PM

                                

                                   સાફલ્‍યગાથા

            સાબરકાંઠા પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

            સાબરકાંઠા જીલ્‍લાના એસ.એન.ગોહિલ પોલીસ સબ.ઈન્‍સપેકટર હિંમતનગર ’એ.’ ડીવી.પો.સ્‍ટેશન  હિંમતનગર નાઓ ધ્‍વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.

            પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં .એસ .આર .બી/ પોલીસ સાફલ્‍ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા. તા.૨૪/૦૮/૨૦૧૫ થી તા .૩૦/૦૮/૧૫  સુધીની વિગત નીચે મુજબ છે.

      પોલીસ અધિક્ષકશ્રી, સાબરકાંઠા નાઓની સુચના અંતર્ગત પોલીસ સબ. ઇન્‍સપેક્ટરશ્રી એસ.એન.ગોહિલ અને ’એ’ ડીવી.પોલીસ સ્‍ટાફ ની ટીમ દ્રારા ”એ”.ડીવિ.પો.સ્ટે. હિંમતનગર ફર્સ્ટ ગુ.ર.નં-૧૧૧/૧૫ ઇ.પી.કો કલમ- ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી એકટ કલમ- ૧૭૭,૧૮૪,૧૩૪(બી)  મુજબના કામે તા.-૨૪/૦૮/૨૦૧૫ ના, કલાકઃ ૨૧/૪૫ વાગ્યાના સુમારે મોજે- શામળાજી થી હિંમતનગર તરફ આવતાં હાઇવે રોડ ઉપર ગ્રાન્ડ બજારની સામે પોલીટેકનીક ચાર રસ્તા નજીક ટ્રક નં- RJ-27-GB- 3518 ના ચાલક ડ્રાઇવરે પોતાના કબજાની ટ્રક પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી અજાણ્યા મુસલમાન કોમના માણસ ઉ.વ.-૬૦ ના આશરાને ટક્કર મારી શરીરે ઇજાઓ કરી મોત નિપજાવી ટ્રક પુનમ ગેસ્ટહાઉસ આગળ હાઇવે રોડ ઉપર મુકી દઇ નાસી ગયેલ હતો જે ગુનાની તપાસ દરમ્યાન મરણજનાર અજાણ્યો હોઇ જે લાશના ફોટા પાડી આજુબાજુ વિસ્તારમાં સઘન પુછપરછ કરી ફોટા વૉટશપ ઉપર મુકી અજાણી લાશ સબંધે સઘન તપાસ કરી વાલી વારસોને શોધી કાઢી મરણ જનાર “ઇસ્માઇલભાઇ જમાલભાઇ મનસુરી ઉ.વ.૬૦ રહે.ગોવીંદનગર સહકારીજીનની સામે ભીલોડા તા.ભીલોડા જી.અરવલ્લી ”   નો હોવાનુ જણાઇ આવતાં વાલી વારસોનો સંપર્ક કરી લાશની ઓળખવિધી કરી લાશ વાલી વારસોને સાંપી સારી કામગીરી  કરેલ છે.