સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ અને જે.એમ.આલ એલ.સી.બી. હિંમતનગર નાઓ ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૨૪/૧૧/૨૦૧૪ થી તા.૩૦/૧૧/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.
(૧) આરતીદે ભીખીદે પાવૈયા મુળ રહે. રૂપાજીવાસ મોયદ હાલ રહે. સલાલ તા. પ્રાંતિજ નાઓ તા. ૨૨/૦૫/૨૦૧૪ ના રોજ ક. ૭/૦૦ થી ૭/૩૦ દરમ્યાન ગુમ થયેલ હોય જે અંગે હિંમતનગર એ.ડિવીઝન પો.સ્ટે. જાણવા જોગ નં. ૩૧/૧૪ તા. ૨૩/૦૫/૨૦૧૪ ના રોજ દાખલ કરેલ.
ત્યારબાદ હિંમતનગર એ.ડિવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં ૮૪/૧૪ ઇ.પી.કો.કલમ ૩૬૫ મુજબના ફરીયાદીશ્રી ભીખીદે મધુદે પાવૈયા રહે. મેઘરજ પહાડીયા તા. મેઘરજ જી. અરવલ્લી નાઓ એ ચાંદનીદે ચંન્દ્રિકાદે પાવૈયા વિરૂઘ્ઘ ફરીયાદ આપતાં તા. ૨૪/૦૫/૧૪ ના ક. ૧૯/૦૦ વાગે ગુન્હો દાખલ થયેલ છે.
આ ગુન્હાની તપાસ દરમ્યાન તા. ૫/૦૬/૨૦૧૪ ના રોજ સદર આરોપીના ઘરની ઝડતી તપાસ કરતા હાથ બનાવટની પીસ્ટલ મળી આવેલ જે અંગે હિંમતનગર એ.ડિવીઝન પો.સ્ટે.સેકન્ડ ગુ.ર.નં. ૩૪૦૭/૨૦૧૪ થી આર્મ્સ એક્ટ મુજબની ફરીયાદ દાખલ કરેલ. છે.
બાદ તા.૧૧/૦૬/૨૦૧૪ ના રોજ મહેરબાન પોલીસ અઘિક્ષક સાહેબ શ્રી નાઓના હુકમ અનુસાર અને તેઓ સાહેબ શ્રી ના સીઘા સુપરવિઝન હેઠળ આ ગુનાની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ હિમતનગર ને સોપેલ જે આઘારે પોલીસ ઇન્સપેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા હિમતનગર નાઓએ અલગ અલગ ટીમ બનાવી શકમંદ આરોપીઓના રહેઠાણ તથા મળી આવવાના સંભવીત સ્થળોએ તપાસ કરાવતાં કોઇ ફળદાયક હકીકત મળી આવેલ નહી. જેથી અવાર નવાર તેમના રહેઠાણ તથા મળી આવવાના સંભવીત સ્થળો ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચ હિંમતનગરની ટીમ દ્રારા તપાસ કરવામાં આવતી તથા સ્થાનીક બાતમીદારો રોકાવામાં આવેલ. જે આધારે ગઇ તા. ૨૫/૧૧/૧૪ ભંગેલ વિસ્તાર નોઇડા ઉત્તરપ્રદેશ ખાતેથી આરોપી (૧) ચાંદનીદે ચંન્દ્રિકાદે પાવૈયા મુળ નામ રાકેશ ચંન્દ્રકાંત શાહ મુળ રહે. વિજયમીલ મ્યુ. ક્વાટર્સ અમદાવાદ હાલ રહે. તુલસી કોમ્પલેક્ષ પાછળ મોતીપુરા હિંમતનગર તથા આરોપી નં. (૨) મોહમંદહુસૈન સન/ઓ સફીમહમંદ છીપા (મૌલાની) ઉ.વ. ૩૩ રહે. મુળ.મકાન નં. ૪૮ આયડ છીપોનો મહોલ્લો ઉદેપુર તા. જિ. ઉદેપુર રાજસ્થાન હાલ રહે. તુલસી કોમ્પલેક્ષ પાછળ ચાંદનીદે ચંન્દ્રિકાદે પાવૈયાના મકાનમાં મોતીપુરા હિંમતનગર નાઓ મળી આવેલ
જે બંને આરોપીઓને હિંમતનગર લાવી સઘન પુછપરછ કરતાં બંને આરોપીઓ માનસિક રીતે પડી ભાગેલ અને ચાંદનીદે ચંન્દ્રિકાદે પાવૈયાએ જણાવેલ કે, ભિક્ષાવૃત્તી અંગેના હદ વિસ્તારને લઇ આરતીદે ભીખીદે પાવૈયા સાથે પોતાને અવાર નવાર સંઘર્ષ થતાં જેથી કંટાળી પોતાના ડ્રાયવર મોહમંદહુસૈન સન/ઓ સફીમહમંદ છીપા તથા તેના મિત્ર શકીલ કે રાજસ્થાનનો રહેવાસી છે. તે ત્રણેય મળી ગુનાહિત કાવતરૂ રચી તા. ૨૨/૦૫/૨૦૧૪ ના રોજ વહેલી સવારે આરતીદે ભીખીદે પાવૈયા પોતાના ઘરે આવતાં પોતાના બંને સાગરીતો સાથે મળી આરતીદેનુ મોત નિપજાવી પોતાના ઘરના અંદરના રૂમમાં દિવાલમાં બનાવેલ કબાટના નીચેના ખાનામાં દાટી દઇ ઉપર ઇટો રેતી સિમેન્ટ વડે પ્લાસ્ટર કરી પુરાવાનો નાશ કરેલ હોવાની કબુલાત કરેલ
ઉપરોક્ત હકીકત આધારે આજરોજ આરોપી ચાંદનીદે ચંન્દ્રિકાદે પાવૈયાના ઘરે ઝડતી તપાસ કરતાં આરોપીના ઘરમાંથી ભોગ બનનાર આરતીદે ભીખીદે પાવૈયાની લાશ મળી આવેલ જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાલ ચાલુ છે.