સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન એ.બી.વાટલીયા પો.ઇન્સ.શ્રી ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
હિંમતનગર ટાઉન પો..સ્ટે. એ.બી.વાટલીયા પો.ઇન્સ.શ્રી ના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલ વ્યકતિની તપાસ નિચે મુજબ કરેલ છે.
તા ૧૪/૧૨/૧૩ ના રોજ તેઓ પોલીસના માણસો સાથે ટાઉન પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હિંમતનગર મહાવીરનગર ચાર રસ્તા નજીક આવતા કેટલાક માણસોનું ટોળું ભેગું થયેલ હોય ત્યાં તપાસ કરતાં એક અજાણ્યા છોકરાને લોકો પુછપરછ કરતા હોય અને ત્યાં હાજર રહેવર સુરેન્દ્રસીંહ વિજયસીહ નાઓએ જણાવેલ કે આ છોકરો કયાંકથી આવેલ છે અને અજાણ્યો છે જેથી અમોએ જાતેથી આ છોકરાને સાંત્વના આપી પુછપરછ કરતાં તેણે પોતે દીયોદર તાલુકાના કુંવારા ગામનો રહીશ હોવાનું અને પોતાનું નામ જનક પ્રવિણભાઇ પુજારા હોવાનું જણાવેલ અને ઘરેથી ચારેક દીવસથી નીકળી ગયેલાનું જણાવેલ અને પોતે. મંદ બુધ્ધિનો હોવાનું જણાતાં તેને પોલીસ સ્ટેશન લાવેલ અને તેના વાલીનો સંપર્ક કરી તેને લઇ જવા જણાવેલ અને તેને પોલીસ સ્ટેશને રાખી જમવાનું જમાડી શાન્તીથી સુવડાવેલ અને બીજા દીવસે તેના પિતા પ્રવિણભાઇ નાઓ આવતાં તેમણે આ જનક પોતાનો પુત્ર હોવાનું જણાવી અને તે મંદબુધ્ધિનો હોય ઘરેથી નીકળી ગયેલાનું જણાવતાં તેમને આ મળી આવેલ જનક પ્રવિણભાઇ પુજારાનો કબજો સોંપવામાં આવેલ. આમ આ અજાણ્યા અને મંદબુધ્ધિના છોકરાને તેના વાલીવારસોને સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે. જે સા.મે.ને.વિ.થાય.
(પટેલ જયોતિ પંકજ)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક હિંમતનગર